SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું શતબળ રાજાની સુંદર વિચારણા. ૧૫ સરખા તળીયાવાળા હતા, તેને મધ્ય ભાગ સિંહના મધ્યભાગને તિરસ્કાર કરવામાં અગ્રેસર હતે અને તેનું વક્ષસ્થળ પર્વતની શિલા સદશ હતું. તેના ઉદ્ધત એવા બંને સ્કંધ વૃષભસ્કંધની શોભાને ધારણ કરવા લાગ્યા. તેની ભુજાઓ શેષનાગની ફણાની શોભા ધારણ કરવા લાગી, તેનું લલાટ અદ્ધ ઊગેલા પૂર્ણિમાના ચંદ્રની લીલાને ગ્રહણ કરવા લાગ્યું અને તેની સ્થિર આકૃતિ મણિના જેવી દંતશ્રેણીથી અને નથી તેમજ સુવર્ણના જેવી કાંતિવાળા શરીરથી મેપર્વતની સમગ્ર લમીની તુલના કરવા લાગી. એક દિવસ સુબુદ્ધિવાન, પરાક્રમી અને તત્ત્વજ્ઞ વિદ્યાધરપતિ શતબળ રાજા એકાંતે વિચાર કરવા લાગ્ય–અહો ! આ શરીર સ્વાભાવિક અશુચિમય છે, તો તેને ઉપસ્કરોથી નવું નવું કરી કેટલા કાળ સુધી પવવું ? અનેક પ્રકારે સત્કાર કર્યા છતાં પણ જે એક વખત સત્કાર ન થાય તે બળ પુરુષની પેઠે આ દેહ તત્કાળ વિકાર પામે છે. અહો ! બહાર પડેલા વિષ્ટા, મુત્ર તથા કફ વગેરે પદાર્થોથી પ્રાણુઓ ઘણુય છે, પણ શરીરની અંદર તેજ સર્વ પદાર્થો રહેલા છે તેનાથી કેમ દુણતા નથી? જીર્ણ થયેલા વૃક્ષના કેટરમાં જેમ સર્પ, વીંછી વગેરે ક્રૂર પ્રાણીઓ ઉત્પન્ન થાય છે તેમ આ શરીરમાં પીડા આપનાર અનેક રોગો ઉત્પન્ન થાય છે. શરઋતુના મેઘની માફક આ કાયા સ્વભાવથી જ નાશવંત છે. યૌવનલકમી વિધ તની પેઠે જોતજોતામાં નાશી જનારી છે. આયુષ્ય પતાકાની પેઠે ચપળ છે, સંપત્તિએ તરંગ ગની જેવી તરેલ છે. ભગ ભુજંગની ફણા જેવા વિષમ છે અને સંગમ સ્વપનની જે મિથ્યા છે. શરીરની અંદર રહેલો આત્મા કામ-ક્રોધાદિકના તાપથી તપાયમાન થઈ પુટપાકની પેઠે રાત્રિ દિવસ રંધાયા કરે છે. અહો આ અતિ દુઃખ પ્રાપ્ત કરાવનારા વિષયમાં સુખ માનનારા પ્રાણીઓ અશુચિસ્થાનમાહેના અશુચિ કીડાની પેઠે કાંઈપણ વિરાગ પામતા નથી ! દુરંત વિષયના સ્વાદમાં પરાધીન ચિત્તવાળો મનુષ્ય, અંધ જેમ કવાને દેખે નહીં તેમ પિતાના પગની આગળ રહેલા મૃત્યુને દેખતે નથી. વિષની માફક આપાતમાત્રમાં જ મધુર એવા વિષયોથી આત્મા મૂચ્છ પામી જાય છે અને તેથી પિતાના હિતને માટે કાંઈપણ વિચાર કરી શકતો નથી. ચારે પુરુષાર્થની તુલ્યતા છતાં પણ આત્મા પાપરૂપ એવા અર્થ-કામને વિષે પ્રવર્તે છે, પરંતુ ધર્મ અને મેક્ષમાં પ્રવતત નથી. પ્રાણીએને આ અપાર સંસારરૂપી સમુદ્રમાં અમૂલ્ય રત્નની પેઠે મનુષ્યપણું ઘણું દુર્લભ છે કદાપિ માનુષ્ય પ્રાપ્ત થયું તથાપિ તેમાં ભગવાન અહંતદેવ અને સુસાધુ ગુરુ પુરયોગથી જ પ્રાપ્ત થાય છે. જે આપણે મનુષ્ય ભવનું ફળ ગ્રહણ ન કરીએ તો વસ્તીવાળા શહેરમાં ચારથી કંટાયા જેવું થાય, માટે કવચધારી મહાબળકુમારને રાજ્યભાર આપણુ કરીને હું સ્વેચ્છિત કરું. એમ વિચારી શતબળ રાજાએ તરત જ પુત્રને બોલાવ્યો. અને તે વિનીતકુમારને રાજ્ય ગ્રહણ કરવાને બંધ કર્યો. પિતાની આજ્ઞાથી તેણે રાજ્યભાર વહન કરવાનું કબૂલ કર્યું. મહાત્માઓ ગુરુજનોની આજ્ઞાનો ભંગ કરવામાં ભીરુ હોય છે. પછી શતબળ રાજાએ મહાબળકુમારને સિંહાસન ઉપર બેસાડી–અભિષેક કરી પોતાની હાથે તિલક મંગળ કર્યું. મચકુંદના પુષ્પ જેવી કાંતિવાળા ચંદનના તિલકથી તે નાને રાજા ચંદ્રવડે જેમ ઉદયાચળ શોભે તેમ શેભવા લાગ્યો. હંસની પાંખ જેવા પિતાના પિતા સંબંધી છત્રવડે, શરદુઋતુના મેઘથી જેમ ગિરિરાજ શેભે તેમ શોભવા લાગ્યો. નિર્મળ બગલાના જોડાથી જેમ મેઘ શોભે તેમ ચલાયમાન બે સુંદર ચામરથી તે વિરાજવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy