SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. ધનસાર્થવાહને થયેલ ખેદ. પ્રાપ્ત થયા છે, તે પણ પિતાના શરણાગતનું પાલન સારું કરે છે !” આવી તેની વાણી સાંભળી સાર્થવાહે વિચાર કર્યો કે-“આવું બેલી કેઈમાણસે મને ઉપાલંભ દી જણાય છે. મારા સંઘમાં દુઃખી માણસ કેણ છે? અરે! મારા જાણવામાં આવ્યું કે-મારી સાથે ધર્મઘોષ આચાર્ય આવેલા છે, જેઓ અકૃત અકારિતર પ્રાસુક ભિક્ષાથી જ ફક્ત ઉદરપોષણ કરનારા છે અને કંદ, મૂળ તથા ફળાદિ પદાર્થોને કઈ વખત સ્પર્શ પણ કરતા નથી. હમણાં આવા દુખિત સાર્થને વિષે તેઓ કેમ વર્તતા હશે ? અહે ! જે આચાર્યને માર્ગનાં સર્વ કૃત્ય સાચવવાનું અંગીકાર કરીને હું મારી સાથે આ માર્ગે લાવ્યો, તેઓનું હું આજે જ સ્મરણ કરું છું. મેં મૂખે આ શું કર્યું ? આજ સુધી જેઓનું વાણીમાત્રથી પણ ઉચિત સાચવ્યું નથી, તેઓને આજે હું કેવી રીતે મુખ બતાવીશ ? તથાપિ આજે તેમનું દર્શન કરીને હું મારા પાપનું પ્રક્ષાલન તે કરુ; કારણ કે તે સિવાય સર્વ વસ્તુની ઇચ્છા રહિત એવા તે પુરુષનું મારે શું કામ કરવું ?” આવી ચિંતામાં મુનિદર્શનને માટે ઉત્સુક થયેલા સાથે વાહને રાત્રિને ચોથ પ્રહર બીજી રાત્રિના જેવડે થઈ પડે. પછી રાત્રિ વીતી ગઈ, એટલે પ્રભાતમાં ઉજજવળ વસ્ત્રાભૂષણ ધારણ કરી સાર્થવાહ પિતાના મુખ્ય માણસોને સાથે લઈ સૂરિના આશ્રમ પ્રત્યે ગયો. ત્યાં જઈ પલાશના આચ્છાદનથી આચ્છાદિત થયેલા, છિદ્રવાળા, તૃણની ભીતોવાળા અને નિર્જીવ ભૂમિ ઉપર રચેલા એવા આશ્રમમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં પાપરૂપી સમુદ્રના જાણે મંથન કરનાર હોય, મેક્ષના જાણે માર્ગ હોય, ધર્મના જાણે મંડપ હોય અને તેજના જાણે સ્થાન હોય એવા ધર્મ ઘેષ મુનિને તેણે જોયા. તેઓ કષાયરૂપી પગુલ્મમાં હિમ જેવા, કલ્યાણલક્ષ્મીના હાર જેવા, સંધના અદ્વૈત ભૂષણ જેવા અને મોક્ષની ઈચ્છાવાળા પુરુષને કલ્પવૃક્ષ જેવા લાગતા હતા, જાણે એકત્ર થયેલ તપ હાય, મૂર્તિમાન આગમ હોય, તીર્થને પ્રવર્તાવનાર તીર્થકર હોય એવા તેઓ શોભતા હતા. તેમની આસપાસ બીજા મુનિઓ બેઠા હતા, જેમાંનાં કોઈએ પિતાને આત્મા ધ્યાનને આધીન કર્યો હતે, કેઈએ મૌનવ્રત અવલંબન કર્યું હતું, કઈ કાર્યોત્સર્ગમાં રહ્યા હતા, કેઈ આગમનું અધ્યયન કરતા હતા, કોઈ વાચના આપતા હતા, કેઈ ભૂમિ પ્રમાજંન કરતા હતા, કેઈ ગુરુને વંદન કરતા હતા, કોઈ ધર્મકથા કરતા હતા, કેઈ ઋતને ઉપદેશ કરતા હતા, કઈ અનુજ્ઞા આપતા હતા અને કેઈ તને કહેતા હતા. સાર્થવાહ. પ્રથમ આચાર્યને અને પછી અનુક્રમે સર્વ સાધુઓને વંદના કરી. તેઓએ તેને પાપનો નાશ કરનાર “ધર્મલાભ” આપે. પછી આચાર્યને ચરણકમળની પાસે રાજહંસની પેઠે બેસી સાર્થવાહે આનંદ સહિત નીચે પ્રમાણે કહેવાનો આરંભ કર્યો– હે ભગવન! આપને મારી સાથે આવવાનું કહેતાં મેં શરઋતુના મેઘની નાની માફક મિથ્થા સંભ્રમ દેખાડ્યો, કેમકે તે દિવસથી આરંભીને આજ સુધી મેં આપનું દર્શન કર્યું નહિ, વંદના કરી નહિ અને અન્નપાન તથા વસ્ત્રાદિકથી આપને કયારે પણ સત્કાર કર્યો નહિ. જાગ્રત છતાં સુષુપ્તાવસ્થામાં રહેલા એવા મેં આ શું કર્યું? આપની અવજ્ઞા કરી, પિતાનાં વચનને ભંગ કર્યો. હે મહારાજ ! આ મારા પ્રમાદાચરણને માટે 1 પિતાને અર્થે નહી કરેલ ૨ નહીં કરાવેલ, ૩ જીવ બહન ચત્ત.) : ધોઈ નાખવું, ૫ એક જાતનું ઘાસ, ૬ નિદ્રાવસ્થા. A - 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy