SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 999999999999999999. 6666666666666666666 99999999999999999999 ન GS હવે ભગવાન ઋષભસ્વામિને શિષ્ય પિતાના નામની જેમ એકાદશ અંગને ભણનારો, સાધુગુણે સહિત, સ્વભાવથી સુકુમાર અને હસ્તિપતિની સાથે કલભની જેમ નિરંતર સ્વામી સાથે વિચરનાર ભરતપુત્ર મરીચિ ગ્રીમઋતુમાં સ્વામીની સાથે વિહાર કરતા હતા. એક દિવસ મધ્યાહ્ન સમય હોવાથી જાણે લુહારેએ ધમેલી હોય તેમ તરફ માર્ગની રજ સૂર્યનાં કિરણથી તપી ગઈ હતી અને જાણે અદશ્ય થયેલી અગ્નિની જવાળાઓ હેાય તેવા ઘણા ઉષ્ણ વંટેળીઆથી સર્વ માર્ગો ખીલાઈ ગયા હતા. તે સમયે અગ્નિથી તપેલા જરા આદ્ર ઈધણાની જેમ મસ્તકથી તે ચરણ સુધી તેને દેહ પસીનાની ધારાથી ભરપુર થઈ ગયો હતે. જળથી છાંટેલા શુષ્ક ચમન ગંધની પેઠે પસીનાથી આદ્ર થયેલાં વસ્ત્રોને લીધે તેના અંગ ઉપરના મળને દુસહ ગંધ છૂટતો હતો. તેના ચરણું બતા હતા તેથી તપેલા ભાગમાં રહેલા નકુળની જેવી સ્થિતિ તે બતાવતા હતા અને ગરમીને લીધે તે તૃષાક્રાંત થયા હતા. એ પ્રસંગે અકળાઈને મરીચિ મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા-“અહો ! કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી સૂર્યચંદ્રવડે મેરૂ પર્વત સમાન અને ત્રણ જગતના ગુરૂ એવા ઋષભસ્વામીને હું પૌત્ર છું, તેમજ અખંડ ખંડ સહિત મહીમંડળના ઈદ્ર અને વિવેકના અદ્વિતીય નિધિરૂપ ભરતરાજાનો હું પુત્ર છું. વળી “ચતુર્વિધ સંઘની સમક્ષ ઝાષભસ્વામીના પાસે પંચમહાવ્રતના ઉચ્ચારણપૂર્વક મેં દીક્ષા લીધી છે, તેથી રણમાંથી વીર પુરૂષને ભાગી જવું જેમ યુકત નથી, તેમ આ સ્થાનથી ગલિત થઈ લજાવડે મારે ઘરે જવું તે યુકત નથી; પરંતુ મોટા પર્વતની પેઠે દુર્વહ એવા આ ચારિત્રરૂપી ભારને એક મુહૂર્તમાત્ર પણ વહન કરવાને હું સમર્થ નથી–મારાથી ચારિત્રવ્રત પાળવું મુશ્કેલ છે અને તે છેડીને ઘેર જતાં કુળની મલિનતા થાય છે, તેથી એક તરફ નદી અને બીજી તરફ સિંહ જેવા ન્યાયમાં હું આવી પડે છું. પણ અહો ! મેં જાણ્યું કે પર્વત ઉપર જેમ કેડીને માર્ગ હોય તેમ આ વિષમ માર્ગમાં પણ એક સુષમ માર્ગ છે. તે આ પ્રમાણે – “આ સાધુઓ મનદંડ, વચનદંડ અને કાયદંડને જીતનાર છે અને હું તે તેઓથી છતાયેલ છું માટે હું ત્રિદંડી થઈશ. એ શ્રમણ કેશને લોચ અને ઈદ્રિયને જય કરી મુંડ થઈને રહે છે અને હું ક્ષીરથી મુંડન કરાવી શિખાધારી થઈશ. એ સ્કૂલ અને સૂફમ પ્રાણીઓના વધાદિકથી વિરત થયેલા છે અને હું ફક્ત સ્થૂલ પ્રાણ એનો વધ કરવાથી વિરત થઈશ. એ મુનિઓ અકિંચન થઈને રહે છે અને હું સુવર્ણ મુદ્રાદિક રાખીશ. એ ઋષિઓએ ઉપાનને ત્યાગ કરે છે અને હું ઉપાનને ધારણ કરીશ. એઓ અઢાર હજાર શીલન અંગે યુકત શિયળવડે અતિ સુગંધી છે અને હું તેથી રહિત હોવાને લીધે દુધવાળો છું, તેથી ચંદનાદિકને ગ્રહણ કરીશ. એ શ્રમ માહ રહિત છે અને હું મેહથી આવૃત્ત છું, તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ. એઓ નિઃકષાય હોવાથી વેત વસ્ત્રને ધરનારા છે અને હું કષાયથી કલુષ હેવાને લીધે તેની સ્મૃતિને માટે કષાયેલાં વસ્ત્ર ધારણ કરીશ. એ મુનિઓએ પાપથી ભય A - 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy