SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સાંવત્સરિક દાન. સર્ગ ૩ જે સ્વામીએ દાન આપવું શરૂ કર્યું તે વખતે ઇંદ્ર આદેશ કરવાથી કુબેરે પ્રેરેલા ભક દેવતાઓ ઘણું કાળથી ભ્રષ્ટ થયેલું–નષ્ટ થઈ ગયેલું, નધણીયાતું, મર્યાદાને ઉલ્લંઘન કરનારું, ગિરિ અને કુંજમાં રહેલુંસ્મશાન વિગેરે સ્થાનમાં ગૂઢ રહેલું, ઘરમાં ગુપ્ત કરેલું રૂખ, સુવર્ણ અને રત્નાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને વરસાદ જેમ પાણીને પૂરે તેમ પૂરવા લાગ્યા. હંમેશાં જેમ સૂર્યને ઉદય થાય ત્યાંથી તે ભેજનના સમય સુધીમાં પ્રભુ એક કેટી અને આઠ લાખ સુવર્ણ (નૈયા)નું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણશે અધ્યાશી ક્રોડ એંશી લાખ સુવર્ણનું દાન કર્યું. “પ્રભુ દીક્ષા લેવાના છે.” એમ જાણું લેકોને પણું સંસારમાં વૈરાગ્ય થવાથી ફક્ત શેષામાત્ર દાન ગ્રહણ કરતા હતા. જો કે પ્રભુ ઈચ્છા પ્રમાણે દાન દેતા હતા, તે પણ તેઓ અધિક ગ્રહણ કરતા નહોતા, વાર્ષિક દાનને અંતે પિતાનું આસન ચલિત થવાથી ઈન્દ્ર બીજા ભરતની પેઠે ભક્તિપૂર્વક ભગવંત પાસે આવ્યો. જળના કુંભ હસ્તમાં રાખનારા બીજા ઇંદ્રોની સાથે રાજ્યાભિષેકની પેઠે તેણે જગત્પતિને દીક્ષા ઉત્સવ સંબંધિ અભિષેક કર્યો. તે કાર્યને અધિકારી હોય તેવા ઇદ્ર તત્કાળ લાવેલાં દિવ્ય અલંકાર તથા વસ્ત્રો પ્રભુએ ધારણ કર્યા. જાણે અનુત્તર વિમાને માંહેનું વિમાન હોય તેવી સુદર્શના નામે એક શિબિકા ઈંઢે પ્રભુને માટે તૈયાર કરી. ઈ હાથને ટેકે આપે છે જેમને એવા પ્રભુ જાણે લેકાગ્રરૂપી મંદિરની પહેલી નિસરણ ઉપર ચઢતા હોય તેમ તે શિબિકા ઉપર આરુઢ થયા. પ્રથમ રોમાંચિત થયેલા મનુષ્યએ અને પછી દેવતાઓએ જાણે મૂત્તિમંત પિતાને પુણ્યભાર હોય તેમ શિબિકાને ઉપાડી. તે સમયે સુર અને અસુરેએ હર્ષથી વગાડેલા મંગળવાજિંત્રોએ પિતાના નાદથી પુષ્પરાવર્તક મેઘની પેઠે દશ દિશાઓને પૂરી દીધી. જાણે આ લેક અને પરલેકનું મત્તિમંત નિર્મલપણું હોય એવા બે ચામર પ્રભુના બંને પાર્શ્વભાગમાં પ્રકાશી રહ્યા અને બંદીકેની પેઠે વૃંદારક (દેવતાઓ) મનુષ્યોના કાનને પ્રસન્ન કરનાર એ ભગવંતને જયજયારવ ઊંચે સ્વરે કરવા લાગ્યા. શિબિકામાં આરૂઢ થઈને માર્ગમાં ચાલતા પ્રભુ ઉત્તમ દેના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમાની જેમ શોભતા હતા. એવી રીતે ભગવાનને જતાં જઈ સર્વે નગરવાસીઓ બાલકે જેમ પિતાની પછવાડે દોડે તેમ દોડવા લાગ્યા. મેઘને જેનારા મયુરની પેઠે કે દૂરથી સ્વામીને જવાને ઊંચા વૃક્ષની શાખા ઉપર આરુઢ થયા; સ્વામીને જેવાને માટે માર્ગના મંદિર ઉપર ચઢેલા કેઈ સૂર્યના પ્રબળ તાપને પણ ચંદ્રાતાની જે ગણવા લાગ્યા કેઈ કાળક્ષેપને સહન નહિં કરી શકવાથી તત્કાળ અશ્વ ઉપર ન ચઢતાં જાણે પિતે જ અશ્વ હેય તેમ માર્ગમાં ઠેટવા લાગ્યા અને કેઈ જળમાં માસ્યની પેઠે લેકસમૂહની અંદર પ્રવેશ કરી, સ્વામીના દર્શનની ઈચ્છાથી આગળ નીકળવા લાગ્યા. જગત્પતીની પાછળ દેડનારી કેટલીએક અંગનાઓના વેગને લીધે મુક્તાહાર ત્રુટી જતાં હતા; તેથી જાણે તે પ્રભુને લાજાંજલિથી વધાવતી હોય એમ જણાતું હતું. પ્રભુ આવે છે એમ ધારી તેમને જોવાની ઈચ્છાવાળી કેટલીક સ્ત્રીઓ કટીભાગમાં બાળકોને તેડી વાનર સહિત લતાઓની જેમ ઉભી રહી હતી; કુચકુંભના ભારથી મંદગતિવાળી કેટલીએક સ્ત્રીઓ જાણે બે પાંખો કરી હોય તેમ બે બાજુએ રહેલી સખીઓની ભૂજાનું આલંબન કરીને ચાલતી હતી; કેટલીએક સ્ત્રીએ પ્રભુને જવાના ઉત્સવની ઈચ્છાથી ગતિભંગ ૧ મોતીરૂપ ધાણુની અંજલિથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy