________________
સજઝાયો ૯૭૨૫
માન કર્યું જો રાવણે, તો તે રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે. સૂકાં લાકડાં સારીખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે..
માયા વિશે સમકિતનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત્; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ
રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૧. મુખ મીઠો જૂઠો મને જી રે ! કુડ-કપટનો રે ! કોટ; જીભે તો જી જી કરે જી રે ! ચિત્તમાં તાકે ચોટ
રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૨. આપ ગરજે આઘો પડે જી રે ! પણ ન ધરે રે ! વિશ્વાસ; મનશું રાખે આંતરોજી રે ! એ માયાનો પાસ
રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૩. જેહશું બાંધે પ્રીતડીજી રે ! તેહશું રહે પ્રતિકૂળ; મેલ ન છંડે મનતણોજી રે ! એ માયાનું મૂળ
રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૪. તપ કીધો માયા કરીજી રે ! મિત્ર શું રાખ્યો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજો જી રે ! તે પામ્યા સ્ત્રીવેદ
રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૫. ઉદયરત્ન કહે સાંભળો જી રે ! મેલો માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવાતણો જી રે ! એ મારગ શુદ્ધ
રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org