SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૨૭ UિT વયો-(fજન વવને)-જિન વચનમાં. ગાય-(માર)-આદર. કુદ-(ત)-કરો. (૪૧-૪) સરલ છે. (૪૧-૫) જો પરમપદને ઇચ્છતા હો અથવા આ જગતમાં અત્યંત વિશાલ કીર્તિ મેળવવા ઇચ્છતા હો તો ત્રણે લોકોનો ઉદ્ધાર કરનારાં જિન વચન પ્રત્યે આદર કરો. (૬) સૂત્ર-પરિચય બૃહ-કલ્પસૂત્રના લઘુભાષ્યમાં મંત્ર-સંતિ-નિમિત, દગો તો નિત-સંતી –એવા શબ્દો આવે છે અને સ્તવની ચાળીસમી ગાથામાં પણ ગો પઢ નો ન નિકુરૂ, ૩૫ગો ત્નિ પિ નિચે સતિ થએવો ઉલ્લેખ નજરે પડે છે. એટલે આ સૂત્ર કય-સંતિ-થો (ગિત–શાનિત-સ્તવ:) તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. સમ્યગ્દર્શનની વિશુદ્ધિ માટે ચોવીસ તીર્થકરોની સામાન્ય તથા વિશેષ સ્તુતિ-સ્તવના કરવામાં આવે છે, પરંતુ તેમાંના કોઈ પણ બે તીર્થકરોની યુગલરૂપે કરાયેલી સ્તુતિ ભાગ્યે જ જોવાય છે. તેથી આ સ્તવની ગણના એક વિરલ કૃતિ તરીકે કરી શકાય, કારણ કે તેમાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ એ બે તીર્થકરોની યુગલરૂપે સ્તુતિ કરવામાં આવી છે. પર્વ તવ-વન-વરત્ન, મU નિય-સંતિ નિH-gયત્ન' એ શબ્દોમાં સ્તવ-કર્તાનો મનોભાવ સ્પષ્ટતયા વ્યક્ત થાય છે. વળી આ સ્તવનું બંધારણ સંવાદી છે, ભાવ-નિરૂપણ અત્યંત ગૂઢ છે અને સમસ્ત દેહ વિવિધ છંદો તથા અલંકારોથી વિભૂષિત છે; તે સાથે તેમાં ચિત્ર-બંધોની ચમત્કૃતિ પણ છે. એટલે આ સ્તવને અહિંદુ-ભક્તિના એક અપૂર્વ કાવ્ય તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. સ્તવની આ વિશિષ્ટતાઓનો પરિચય * અન્ય દર્શનોમાં પણ યુગલરૂપે સ્તુતિ કરાયેલી નજરે પડે છે. વેદોમાં તથા અન્યત્ર મિત્ર અને વરુણ, અશ્વિનીકુમારો સૂર્ય અને ચંદ્ર વગેરેની યુગલરૂપે સ્તુતિ કરાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy