SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાતસ્યા' સ્તુતિ ૧૪૯ વિસ્મયનો ઉદ્રક થતાં અભુત રસ ઉત્પન્ન થાય છે. તે માટે ઉપર્યુક્ત ગ્રંથના તૃતીય તરંગમાં કહ્યું છે કે : दिव्यरूपावलोकादि-स्मेरो हर्षाद्यलकृतः । दूरं नेत्रविकासादि-कारणं विस्मयोऽद्भुतः ॥२३॥ “દિવ્ય રૂપનાં અવલોકન વગેરે દ્વારા વિકસેલો, હર્ષાદિથી અલંકૃત અને ઘણા નેત્રવિકાસ, રોમાંચ વગેરેનું કારણ એવો વિસ્મય નામનો સ્થાયિભાવ અદ્ભુત રસ (માં પરિણમે) છે. આ અદ્ભુત રસ નાટ્યકારોએ માનેલા સુપ્રસિદ્ધ નવ રસો પૈકીનો એક રસ છે. કહ્યું છે કે – “શુર-હાથ-વUIT., રી-વી-ભયાન: बीभत्साद्भुत-शान्ताश्च, नव नाट्य रसा अमी ॥९६॥" –અલંકારમહોદધિ; તૃતીય તરંગ. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત, આ નવ રસો નાટ્યશાસ્ત્રમાં (માનેલા) છે. આ રીતે રૂપાનોનવિક્ષયદતરધ્રાજ્યાનો અર્થ “સૌંદર્યનું અવલોકન કરતાં ઉત્પન્ન થયેલા વિસ્મયમાંથી પ્રકટેલા અદ્દભુત રસની ભ્રાન્તિ (વાળી) વડે એવો થાય છે. મન્વેક્ષણ-ભમતાં ચક્ષુવાળી, (વડે). ચંચળ નેત્રોવાળી (વડે). પ્રમતું એવું રહ્યું છે જેનું તે પ્રમવ! –તેના વડે-પ્રમવ@ષા. પ્રમત -ભમતી, ફરતી, ચંચળ, સ્થિર નહિ તેવી. વધુ-આંખ, નેત્ર. શા-ઇંદ્રાણી વડે. શરતે-મધુરં વત્રીતિ શરી'-“મીઠું બોલનારી તે શચી.” એ ઈંદ્રાણીનું અમરનામ છે. પ્રિયા રવીન્દ્રા પૌત્નોની ગયુવાદિની.' (અ. ચિ. ૨. ૮૯). ક્ષરેશદુચા-ક્ષીરોદકની શંકાથી. ક્ષીરસમુદ્રનાં જળ તો નથી ? એવી શંકાથી. ક્ષીરોની મશહૂ તે ક્ષીરોકાશા, તેના વડે ક્ષીરવાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy