SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સહસાગારે-(સદસારે)-સહસાકારથી, અચાનક મુખમાં પેસી જવાથી. ‘સદાર| સદાર:'-- “સહસાકરણ તે સહસાકાર.” સંસા-હઠથી, અકસ્માત, અચાનક. કોઈ પણ વસ્તુ ઈચ્છા ન હોવા છતાં સંયોગવશાત્ કે પરાણે મુખમાં પેસી જાય તે સહસાકાર કહેવાય છે. દાખલા તરીકે વરસાદની ઋતુમાં ઘણી કાળજી રાખવા છતાં પાણીનાં બિંદુઓ મુખમાં પેસી જાય કે દહીં વલોવતાં છાશના છાંટા અચાનક મુખમાં પડે, તેને સહસાકાર કહેવાય. પત્તરવેvi-(મહત્તરા)-મહત્તરાગારથી વધારે મોટું પ્રયોજન ઉપસ્થિત થયે. મહતું-મોટું-મદત્તર-ઘણું મોટું, તેને લગતો મા'ર તે મહત્તરી. કોઈ વિશિષ્ટ પ્રયોજન ઊભું થાય અને શ્રીસંઘ કે આચાર્યમહારાજ આજ્ઞા કરે તો પચ્ચક્ખાણ સમય કરતાં વહેલું પારવું પડે, તેને “મહત્તરાગાર' કહેવાય. - સવ્વસમાવિત્તિયારેvi-(સર્વસTધપ્રત્યયારે)-તીવ્ર રોગાદિકના કારણે ચિત્તની સમાધિ ટકાવવા નિમિત્તે. સર્વ એવી સમધિ તે સર્વસમા, તેનો પ્રત્યય તે સર્વસમ-પ્રત્યય, તેનું ર તે સર્વ-સમાધ-પ્રત્ય-ર. તે જ સર્વ-સમધ-પ્રત્યાવર. સર્વપૂર્ણ. સમાધિ-શાતા.-પ્રત્યય-નિમિત્ત. શાતા ઉપજાવવાના નિમિત્તે. તીવ્ર ફૂલ આદિ રોગના કારણે શરીર વિહ્વળ થાય અને પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયા પહેલાં ચિત્તની સમાધિ ટકાવવા માટે તેને પારવામાં આવે, તો “સત્વસમાવિત્તિયાગાર' કહેવાય. વોસિર-(વ્યસ્મૃગતિ)-ત્યાગ કરે છે. ચારે પ્રકારના આહારનો ત્યાગ, અનાભોગ વગેરે ચાર આગારપૂર્વક કરે છે. અહીં પ્રત્યાખ્યાન કરનાર વોસિરામિ પદ બોલે છે, એટલે “હું ચારે પ્રકારના આહારનો અનાભોગ વગેરે ચાર આગાર-પૂર્વક ત્યાગ કરું છું એવો અર્થ સમજવાનો છે. (૨) હિં-(પૌરૂષી)-પોરિસીને. સૂર્ય ઊગ્યા પછી એક પોરિસી જેટલો સમય વ્યતીત થયા ત્યાં સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy