SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ છું. અને આત્માને તે ભાવમાંથી વ્યુત્સર્જન (ત્યાગ) કરું છું, તજું છું. (૫) અર્થ-સંકલના શિષ્ય - હે ક્ષમાશ્રમણ ગુરુદેવ ! આપને હું નિર્વિકારી અને નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. ગુરુ - [જો એવી જ ઇચ્છા હોય તો તેમ કરો.]. શિષ્ય - મને આપની મર્યાદિત ભૂમિમાં સમીપ આવવાની આજ્ઞા આપો. ગુરુ - [આજ્ઞા આપું છું.] શિષ્ય - સર્વ અશુભ વ્યાપારોના ત્યાગ-પૂર્વક આપના ચરણને મારી કાયા વડે સ્પર્શ કરું છું. તેથી જે કાંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો. આપનો દિવસ ઓછા ખેદથી સુખ-પૂર્વક વ્યતીત થયો છે. ? ગુરુ - તેિમ જ છે.]. શિષ્ય - આપને સંયમ-યાત્રા વર્તે છે ? ગુરુ - [તને પણ સંયમ-યાત્રા વર્તે છે ?]. શિષ્ય - આપને ઇંદ્રિયો અને કષાયો ઉપઘાત-રહિત વર્તે છે ? ગુરુ - [એ જ પ્રકારે છે.] શિષ્ય - હે ક્ષમાશ્રમણ ! દિવસ-દરમિયાન થયેલા અપરાધને ખમાવું છું. ગુરુ - હિં પણ તને ખમાવું છું.] શિષ્ય - આવશ્યક-ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. દિવસ દરમિયાન આપ ક્ષમાશ્રમણની તેત્રીસ પૈકી કોઈ પણ આશાતના કરી હોય તેનાથી હું પાછો ફરું છું. વળી જે કાંઈ અતિચાર મિથ્યાભાવને લીધે થયેલી આશાતના વડે થયો હોય, મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી થયેલી આશાતના વડે થયો હોય, ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિ દ્વારા થયેલી આશાતના વડે થયો હોય કે સર્વ કાલસંબંધી, સર્વ પ્રકારના મિથ્યા (માયાકપટભર્યા) ઉપચારો દ્વારા, સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણને લીધે થયેલી આશાતના વડે થયો હોય, તેનાથી હે ક્ષમાશ્રમણ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy