SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કોરિયા-ઊણોદરી તપ. આહારના પ્રમાણ માટે કહ્યું છે કે :"बत्तीसं किर कवला, आहारो कुच्छि-पूरओ भणिओ । पुरिसस्स महिलिआए, अठ्ठावीसं हवे कवला ॥ कवलाण य परिमाणं, कुक्कुडि-अंडय-पमाणमेत्तं तु । जो वा अविगिअ-वयणो, वयणम्मि छुहेज्ज वीसत्थो ॥" “પેટ ભરવાને માટે પુરુષનો આહાર બત્રીશ કવલ (કોળિયો) પ્રમાણ અને સ્ત્રીનો આહાર અઠ્ઠાવીસ કવલ-પ્રમાણ કહ્યો છે. તેમાં કવલનું પ્રમાણ કુકડીના ઈંડા જેટલું સમજવું, અથવા તો મોટું ખાસ પહોળું કર્યા સિવાય માણસ સરળતાથી મોઢામાં મૂકી શકે તેટલું સમજવું.” આ પ્રમાણથી ઓછું ખાવાનો વિવિધ પ્રકારનો નિયમ, તે ઊનોદરિકા' તપ છે. વિત્તી સંવેવળ-વૃત્તિ સંક્ષેપ. આ તપ સાધુઓને માટે ગોચરીના અભિગ્રહરૂપ હોય છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારનું હોય છે. જેમ કે અમુક સ્થિતિમાં રહેલો સાથવો મળે તો લેવો, એ ‘દ્રવ્ય અભિગ્રહ’, અમુક ચોક્કસ સ્થાનમાં રહેલી વ્યક્તિઓના હાથે આહારાદિ મળે તો જ લેવો, તે “ક્ષેત્ર-અભિગ્રહ. બધા સાધુ ગોચરી ગયા પછી ગોચરી લેવા જવું. તે “કાલ-અભિગ્રહ અને દાતા હસતો, રડતો કે અમુક ભાવવાળો હોય અને આપે તો જ લેવું. તે ભાવ-અભિગ્રહ'. શ્રી મહાવીરસ્વામીએ ધારણ કરેલો અતિકઠિન અભિગ્રહ ચંદનબાલા દ્વારા પૂર્ણ થયો હતો, તે વાત સુપ્રસિદ્ધ છે. આ અભિગ્રહ વૃત્તિસંક્ષેપ નામક તપનો એક પ્રકાર હતો. શ્રાવકો પણ ખાન-પાનનાં દ્રવ્યાદિની સંખ્યા ઘટાડીને જુદી જુદી અનેક રીતે આ તપ કરી શકે છે. રણ-વાબો-રસ-ત્યાગ, વિકૃતિનો ત્યાગ. રસનું સેવન મન, વચન અને કાયામાં વિકૃતિ લાવે છે. માટે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy