SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નાણશ્મિ દંસણમિ સૂત્ર ૩૯ માસ-આહારનો ત્યાગ-ઉપવાસ. R મશીનમનશનમૂ-મહત્યા રૂત્યર્થ: ', ભોજન ન કરવું, તે “અનશન' એટલે આહાર-ત્યાગ. તે બે પ્રકારનો હોય છે : “(૧) ઇવર અને (૨) યાવતકથિક'. તેમાં જે આહારત્યાગ નિયત સમય માટેનો પૂરો થયા બાદ ભોજન કરવાની આકાંક્ષા હોય છે. જ્યારે મૃત્યુ-પર્યન્તનો આહાર-ત્યાગ “યાવકથિક' કહેવાય છે. તેમાં આહારનો ત્યાગ કર્યા પછી ભોજનની આકાંક્ષા હોતી નથી. “ઇત્વરિક અનશન' છ પ્રકારનું હોય છે : “(૧) શ્રેણિ તપ, (૨) પ્રતર તપ, (૩) ઘન તપ, (૪) વર્ગ તપ (૫) વર્ગ-વર્ગ તપ અને (૬) પ્રકીર્ણ.” તેમાં શ્રેણિના અંક પ્રમાણે જે તપ કરાય તે શ્રેણિ તપ. તેની છ શ્રેણિઓ હોય છે. ૧, ૨. [એટલે એક ઉપવાસ અને પારણું, પછી બે ઉપવાસ અને પારણું ૪. એમ સર્વત્ર સમજી લેવાં.] ૧, ૨, ૩, ૪, ૫. ૧, ૨, ૩, ૪, ૫, ૬. ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭. કુલ ૮૩ ઉપવાસ ને ૨૭ પારણાં. પ્રતર, ઘન, વર્ગ અને મહાવર્ગ તપ આ રીતે ગણિતના વિસ્તાર મુજબ સમજી લેવાનાં છે. પ્રકીર્ણ તપ એ શ્રેણિબદ્ધ નહિ, પરંતુ ખાસ કોઈ ક્રમ વિના કરવાનું હોય છે. તેમાં પણ અનેક પ્રકારો હોય છે. આ તપથી તેજોલેશ્યા આદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. યાવતકથિક અનશન ત્રણ પ્રકારનું હોય છે : “(૧) પાદપો પગમન, (૨) ઇંગિનીમરણ અને (૩) ભક્તપરિજ્ઞા.” તેનો વિસ્તાર આચારાંગાદિ સૂત્ર-ગ્રંથોથી સમજવો. ه ه ه Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy