________________
પરિશિષ્ટ ત્રીજું
પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દૃષ્ટાંતો*
(૧) ‘પ્રતિક્રમણ’ ઉપર માર્ગનું દૃષ્ટાંત
એક રાજાએ પોતાનો મહેલ બાંધવા માટે અમુક હદ નક્કી કરી અને તેની ચારે તરફ દોરી બાંધી લેવડાવી. પછી રક્ષકોને હુકમ કર્યો કે ‘આ દોરી કોઈ ઓળંગે નહિ. તેમ છતાં જો કોઈ ઓળંગે તો તેને મારી નાખવો, પરંતુ આવેલા પગલે જ જો તે પાછો ફરે તો તેને છોડી દેવો.'
એકદા બે અજાણ્યા ગામડિયાઓએ તેમાં પ્રવેશ કર્યો ત્યારે રક્ષકોએ કહ્યું કે-‘અરે મૂર્ખાઓ ! તમે આમાં શા માટે પ્રવેશ કર્યો ?’ તે વખતે એકે કહ્યું કે‘અમને શું ખબર કે આમાં પ્રવેશ કરવાનો નથી ?' આવો જવાબ સાંભળીને રક્ષકોને તેને ત્યાં જ ઠાર કર્યો. પછી ભયભીત થયેલા બીજાએ કહ્યું કે-’મેં તો અજાણતાં પ્રવેશ કર્યો છે, માટે તમે કહો તેમ વર્તવા તૈયાર છું.’ ત્યારે રક્ષકોએ કહ્યું કે-‘તું જે પગલે આવ્યો છે, તે જ પગલે પાછો વળી જઈશ તો તને છોડી દઈશું.’ તે ગામડિયો તે જ પગલે પાછો ફર્યો, તેથી તેને છોડી દીધો.
તાત્પર્ય કે બીજા પુરુષની માફક પ્રમાદના કારણે જો સંયમનું અતિક્રમણ થયું હોય કે અતિચાર લાગ્યો હોય તો સંસારભીરુ એવા આત્માએ જે અપરાધ વડે પાપકર્મ કર્યું હોય તેથી નિવર્તવું-પાછા વળવું, તે ‘પ્રતિક્રમણ’ કહેવાય છે.
(૨) પ્રતિચરણા’ ઉપર મહેલનું દૃષ્ટાંત
એક વણિક જર-જવાહરથી ભરેલો મહેલ પોતાની સ્ત્રીને સોંપીને વ્યાપાર અર્થે બહારગામ ગયો. પરંતુ તે સ્ત્રીએ મહેલની કંઈ પણ સારસંભાળ કરી નહિ, તેથી મહેલ પડીને ખંડેર જેવો બની ગયો. હવે તેનો પતિ
* આવશ્યક-નિર્યુક્તિમાં એ દૃષ્ટાન્તોની સંગ્રાહક ગાથા આ પ્રમાણે આપેલી છે : 'अद्धाणे' पासाए', दुद्धकायर विसभोयण तलाए ।
66
दो कन्नाओ पइमारिआय वत्थेश्य अगए || १२४२ || "
(૧) અન (માર્ગ), (૨) પ્રાસાદ (મહેલ), (૩) દુગ્ધકાય, (૪) વિષભોજનમય તલાવ (૫) બે કન્યાઓ, (૬) પતિમારિકા અને (૭) વસ્ત્ર તથા (૮) ઔષધ, એ આઠ દૃષ્ટાંતો પ્રતિક્રમણના પર્યાય-સંબંધી જાણવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org