SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૬૯ જગન્જંગલ-કવચ'થી રક્ષણ કરીને કરવાનું છે. શાંતિ, ઉપશાંતિ કે મહા શાંતિ માટે. અન્ન - મંત્રપદો વડે. મન્નનું પર્વ તે મન્ના, મન્નત્મિક્ક પત્ તે મન્ના. મત્ર વર્ણની રચનાવિશેષ, દેવાદિ-સાધન કે મહાબીજ. પ-વર્ણનો સમૂહ. ત્તિ-નિમિત્ત-શાંતિના નિમિત્ત કારણને. શ્રી શાન્તિનાથ પરમાત્માનો “નામ મંત્ર' કેવળ નિમિત્ત કારણ છે; જયારે વિજયાદેવી ઉપાદાન કારણ છે. આગળ શ્લોક છમાં દર્શાવાયું છે કે વિનયા તે ગતિમ્ વિજયા જન કલ્યાણનું કાર્ય કરે છે તેથી સ્પષ્ટ થાય છે કે તે જ કૃત્યકારી છે. શક્તિ-ભય તથા ઉપદ્રવનું શમન નિમિત્ત-હેતુ, નિમિત્ત, કારણ. તમિ-સ્તવું છું, સ્તવની રચના કરું છું. શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથની સ્મૃતિથી પવિત્રિત શાંતિસ્તવ નામનું શ્રેષ્ઠ સ્તવ રચું છું. આ વિષયમાં શ્રી પ્રભાચંદ્રસૂરિએ તેમના પ્રભાવકચરિત નામના ગ્રંથમાં શ્રી માનદેવસૂરિના ચરિતમાં કહ્યું છે કે : अमुभ्यामुपदिष्टो यः पुरा कमठ जल्पितः । अस्ति मन्त्राधिराजाख्यः श्रीपार्श्वस्य प्रभोः क्रमः ॥७१।। (મંત્રાધિરાજ સ્તોત્ર માટે જુઓ પરિશિષ્ટ ૧. તથા માનદેવસૂરિના ચરિત માટે જુઓ પરિશિષ્ટ ૨) श्री शान्तिनाथ-पार्श्वस्थ, प्रभुस्मृति पवित्रितम् । गभितं तेन मन्त्रेण, सर्वाशिव निषेधिना ॥७२॥ श्री शान्तिस्तव नाभिख्यं, गृहीत्वा स्तवनं वरम् । स्वस्थो गच्छ निजं स्थानमशिवं प्रशमिष्यति ॥७३॥ (પ્રભાવક ચરિત-પૃ.૧૧૮-૨૦) ભાવાર્થ-પૂર્વે કમઠે પ્રકાશિત કરેલો અને આ બન્ને દેવીઓએ (વિજયા અને જયાએ) દર્શાવેલો “મંત્રાધિરાજ' નામનો પાર્શ્વનાથ પ્રભુને પ્ર.-૨-૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy