________________
૩૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
હ | ૐ #1 ts | 5
| 8 #
પ્રસ્તુત સૂત્રમાં શ્રીજિનેશ્વર દેવોનું બાહ્ય સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે અને તેમના દેહોનો વર્ણ કેવા પ્રકારનો છે તે બતાવવામાં આવ્યું છે. જેમ કે કેટલાક જિનેશ્વરો શ્રેષ્ઠ સુવર્ણ જેવા પીળા રંગની છટાને ધારણ કરનારા છે, કેટલાક જિનેશ્વરો શ્રેષ્ઠ શંખ જેવી શ્વેત રંગછટાને ધારણ કરનારા છે, કેટલાક જિનેશ્વરો શ્રેષ્ઠ પરવાળાં જેવી રક્ત રંગ-છટાને ધારણ કરનારા છે, કેટલાક જિનેશ્વરી શ્રેષ્ઠ નીલમ જેવી નીલ રંગછટાને ધારણ કરનારા છે અને કેટલાક જિનેશ્વરો શ્રેષ્ઠ મેઘના જેવી શ્યામ-રંગ-છટાને ધારણ કરનારા છે. અર્થાત એ જિનેશ્વરો પંચવર્ણવાળા છે. પછી એ શ્રીજિનેશ્વરોનું આંતરિક સ્વરૂપ “વિગત-મોહ' એવા એક વિશેષણ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. એ રીતે તેમની વીતરાગતાનું સ્મરણ કરવામાં આવ્યું છે, કારણ કે ભાવઅરિહંતપણું વીતરાગતાને લીધે જ પ્રકટ થાય છે. છેવટે સર્વ જિનેશ્વરોને સર્વ-અમર-પૂજિત વર્ણવ્યા છે. આ વિશેષણ દ્વારા તેમને ચાર મૂલ અતિશયોથી યુક્ત સૂચવ્યા છે. પૂજાતિશય અન્ય અતિશયો વિના હોઈ શકે નહિ, એથી તેઓ જ્ઞાનાતિશય, વચનાતિશય અને અપાયાપગમાતિશયની સાથે પૂજાતિશયથી પણ યુક્ત છે, એવું સૂચિત કર્યું છે. સર્વ અમરોથી પૂજિત, એ વિશેષણ દ્વારા આ જિનેશ્વરો સર્વ મર્યો તો વિશેષ પ્રકારે પૂજનીય છે-એવો અંતર્ધ્વનિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org