SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ દર્શાવતું પ્રત્યેક પદ ખમાસમણ દઈને જ બોલવાનું હોય છે, એટલે તેમાં વંદન કરું છું—એવો ભાવ અધ્યાહાર રહેલો છે. ભવાનદં તીર્થકર ભગવંતોને તથા ધર્માચાર્યને. ઉપા. શ્રી સોમવિજયજીગણિએ શ્રીવિજયસેનસૂરિને નીચેનો પ્રશ્ન પૂક્યો હતો. (સ. પ્ર. ભાષાંતર : પૃષ્ઠ ૩૨.) : “દેવસિય-પડિક્કમણમાં દેવવંદન પછી ચાર ખમાસમણાં દેવાય છે, તેમાં માવાનદં પદમાં માવાન શબ્દનો શો અર્થ ? કેટલાક “તીર્થકર' એવો અર્થ કરે છે, બીજાઓ “ધર્માચાર્ય” એવો અર્થ કરે છે, ત્યારે કોઈક “દેવવંદન પછી ચાર ખમાસમણાથી ગુરુ મહારાજને વાંદે,” એમ પ્રતિક્રમણહેતુગર્ભ ગ્રન્થમાં કહ્યા પ્રમાણે “ગુરુ જ વંદાય છે. જેની પાસે પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરાય, તે ગુરુ મનાય' એમ બોલે છે, આમાં કયા અર્થ ન્યાયયુક્ત છે ?' આનો ઉત્તર નીચે મુજબ આપવામાં આવ્યો હતો - પહેલે ખમાસમણે તીર્થકર અને ધર્માચાર્યને સંબોધીને વંદન કરાય છે.' ૫. ધનહર્ષગણિએ શ્રીવિજયસેનસૂરિને નીચેનો પ્રશ્ન પૂછ્યો હતો. (સ. પ્ર. ભા. પાનું. ૨૩૮.) : પ્રતિક્રમણમાં ખમાસમણ આપીને ભગવાહ, આચાર્યહં ઇત્યાદિક ચાર ખમાસમણમાં પહેલું ભગવાહં બોલાય છે. આ પદમાં ભગવાનશબ્દનો અર્થ શો થાય ? કોઈક કહે છે કે “સુધર્માસ્વામી થાય અને કોઈક “મંડલીના સ્વામી ગીતાર્થ મુનિવર થાય” એમ કહે છે. અને કોઈક “તીર્થકર અર્થ થાય” એમ બોલે છે. અને પ્રતિક્રમણ-હેતુગર્ભ ગ્રંથના બાલબોધમાં “વ્યરે રવાસમને રિક્તાદિ વાં' એમ લખ્યું છે. અને લઘુ પ્રતિક્રમણહેતુગર્ભમાં ભગવ–શબ્દના ચાર અર્થ બતાવ્યા છે, માટે શો અર્થ થાય ?' તેનો ઉત્તર નીચે મુજબ આપવામાં આવ્યો હતો :પરંપરાએ ભગવ–શબ્દનો અર્થ ધર્માચાર્ય સંભળાય છે અને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy