________________
અતિચાર-આલોચના-સૂત્ર ८७
(૨) સ્થૂલમૃષાવાદ-વિરમણ વ્રત.
(૩) સ્થૂલઅદત્તાદાન-વિરમણ વ્રત.
(૪) પરદારગમન-વિરમણ વ્રત. (સ્વદારા-સંતોષવ્રત).
(૫) પરિગ્રહ-પરિમાણ વ્રત.
તિનું મુળવ્વયાળ-[ત્રયાળાં મુળવ્રતાનામ]-ત્રણ ગુણવ્રતોનું. શ્રાવકનાં ત્રણ ‘ગુણવ્રતો' નીચે મુજબ હોય છે :
(૧) ‘દિક્પરિમાણ વ્રત'-દરેક દિશામાં અમુક અંતરથી વધારે ન જવું, તેવું વ્રત.
(૨) ‘ભોગોપભોગ-પરિમાણ વ્રત'-ભોગ અને ઉપભોગની વસ્તુઓનું પરિમાણ બાંધતું વ્રત,
(૩) ‘અનર્થદંડ-વિરમણ વ્રત'-આત્મા ખોટી રીતે દંડાય તેવી ક્રિયાઓ છોડી દેવાનું વ્રત.
આ વ્રતોની વિશેષ વિગત માટે જુઓ ‘વંદિત્તુ' સૂત્ર.
ઘડનું સિવવાવયાળ-[ચતુળ શિક્ષાવ્રતાનામ્]-ચાર ‘શિક્ષાવ્રતો’નાં. શ્રાવકનાં ચાર ‘શિક્ષાવ્રતો' નીચે મુજબ હોય છે :
(૧) ‘સામાયિક વ્રત’-સામાયિક કરવાનું વ્રત.
(૨) દેશાવકાશિક વ્રત’-બધાં વ્રતોમાં નક્કી કરેલી મર્યાદાનો દ૨૨ોજ સંકોચ કરવાનું વ્રત.
(૩) ‘પોષધોપવાસ વ્રત'-પોષધ કરવાનું વ્રત.
(૪) ‘અતિથિ-સંવિભાગ વ્રત'-સાધુ મુનિરાજ આદિ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ)* સુપાત્ર અતિથિને ભક્તિભાવથી યોગ્ય આહારાદિ અર્પણ કરવાનું વ્રત.
વાસવિહસ્ય-[દાવવિધ]-બાર પ્રકારના. સાવધિમ્મĂ-[શ્રાવ ધર્મસ્ય]-શ્રાવકધર્મનું.
* ધર્મસંગ્રહ ભાગ-૧, પૃ. ૨૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org