SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૬૦૧ શ્રી આદિનાથ ભગવાનની વિદ્યમાન અવસ્થામાં જયારે સાધુઓ આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ કરે ત્યારે પડાવશ્યક પૈકી બીજા આવશ્યક ચતુર્વિશતિજિનસ્તવની આરાધના કરતી વેળાએ તેવીસ તીર્થંકરો તો તે વખતે થયા ન હોય અને ભવિષ્યમાં થનારા હોય તેથી તેમને તે તેવીસ તીર્થંકરો દ્રવ્યજિન રૂપે છે. તેમની તે કાલે તે પ્રમાણે આરાધના કરવામાં આવતી હતી. જો દ્રવ્યનિક્ષેપ માનવામાં ન આવે તો આ આરાધના ઘટિત થઈ શકે જ નહીં. શ્રીઆદિનાથ ભગવંતના સમયમાં ચતુર્વિશતિજિનસ્તવને બદલે એક જિનસ્તવ હોવું જોઈએ. એમ જો કહેવામાં આવે તો શ્રી અજિતનાથ ભગવંતના સમયમાં દ્વિજિનસ્તવ હોવું જોઈએ તો તે પ્રમાણે યુક્તિ ઘટતી નથી; કારણ કે શાશ્વત અધ્યયનોના પાઠોમાં લેશ પણ પરાવર્તનની શક્યતાને જૈન દર્શન સ્વીકારતું નથી. તેથી દ્રવ્યનિક્ષેપને આરાધ્ય માનવો જોઈએ. ભાવ નિક્ષેપ - ભાવ જિનની વ્યાખ્યા-માવલિ સમવસરસ્થાએ પ્રમાણે છે. સમવસરણમાં બિરાજમાન થઈ સાતિશય વાણી વડે દેશના દેતા જિનેશ્વરદેવ તે ભાવજિન છે. તેમનું સાલંબન ધ્યાન નીચે પ્રમાણે કરવું - સર્વ પ્રાણીઓને હિતકર, જેના શરીરાદિ સૌંદર્યને કોઈ ઉપમા નથી ૧. પ્રતિમાશતક, પૃ. ૯ २. सर्वजगद्धितमनुपममतिशयसंदोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं, सदसि गदत्तत्परं चैव ॥१॥ सिंहासनोपविष्टं, छत्रत्रयकल्पपादपस्याधः । सत्त्वार्थसम्प्रवृत्तं, देशनया कान्समत्यन्तम् ॥२॥ आधीनां परमौषधमव्याहत मखिलसम्पदां बीजम् । चक्रादिलक्षणयुतं, सर्वोत्तमपुण्यनिर्माणम् ॥३॥ निर्वाणसाधनं भुवि, भव्यानामग्र्यमतुलमाहात्म्यम् । सुरसिद्धयोगिवन्द्यं, वरेण्यशब्दाभिधेयं च ॥४॥ - ષોડશક પ્રકરણ, (પંચદશ ષોડશક) પત્ર ૮૨ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy