SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રકટે છે. અગ્નિના ઉષ્ણગુણને જાણનારો અગ્નિ શબ્દના ઉચ્ચારણ સાથે જેમ ઉષ્ણ ગુણને સ્મરણ કરનારો થાય છે અથવા અગ્નિના આકા૨ને ચિંતવતો થાય છે તેવી જ રીતે અરિહંત ભગવંતના પ્રશમરસનિમગ્નાદિ આકારને જાણવાવાળો આરાધક તેમના નામના ઉચ્ચારણ સાથે પ્રશમરસનિમગ્નાદિ અથવા સમવસરણ સ્થિતાદિ આકૃતિને ચિંતવ્યા વિના રહેતો નથી. સ્થાપના (આકૃતિ) નિક્ષેપ : -નામ શબ્દ છે અને આકૃતિ અર્થ છેઅર્થની જાણકારી વગરના સૂત્રને શાસ્ત્રકારો સૂતેલું જ (સુત્ત-સુપ્ત) ગણે છે. અર્થ જાણ્યા વિનાનું સૂત્રાધ્યયન પણ મંત્રાક્ષરોની માફક ફળ દેવાવાળું તો છે જ પણ આત્માના અધ્યવસાયો જેમ જેમ શુભ થાય તેમ તેમ નિર્જરા વધારે થાય. અને અધ્યવસાયોનું શુભ થવું તે શુભ વિચારને આધીન છે. શુભ વિચારોની ઉત્પત્તિ એકલા સૂત્રાધ્યયનથી થાય તેના કરતાં અર્થના વિચાર સાથે સુત્રાધ્યનથી ઘણી જ વધારે થાય તે સ્વાભાવિક છે. તેથી સૂત્રના ઉચ્ચારણ સાથે અર્થની અને તેના ઉપયોગની અતિ આવશ્યકતા રહે છે. દ્રવ્યનિક્ષેપ :- દ્રવ્ય અરિહંતપણું કેવલ તેઓની અતીત અને અનાગત દશાને લઈને જ ગણવામાં આવે છે. આ જ કારણથી જિન શબ્દના નિક્ષેપમાં નિળા નિાનીવા એટલે ભાવતીર્થંક૨પણાની અવસ્થાને પામેલા અથવા પામવાવાળા જીવોને જ અતીત અને અનાગતકાલની અપેક્ષાએ દ્રવ્યજિન તરીકે ગણવામાં આવેલા છે. ભગવાન શ્રીઋષભદેવથી આરંભી શ્રી વર્ધમાનસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરો પૈકી કોઈપણ હાલ ભવસ્થ નથી એટલે કે શરીરધારી નથી. તે પૈકી કોઈપણ વર્તમાનમાં અરિહંત નામકર્મને ભોગવનાર પણ નથી. તે ચોવીસેય તીર્થંકરો સર્વથા કર્મથી રહિત બનીને સિદ્ધિપદને પામેલા છે. વસ્તુતઃ સર્વથા કર્મથી રહિત એવા સિદ્ધ પરમાત્મા, નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતા અરિહંતપણામાં વર્તતા હોય તેવો વિકલ્પ તેમના માટે જો સેવવામાં આવે તો તે દ્રવ્યનિક્ષેપની ધારણા કર્યા સિવાય સંભવિત નથી. જેમ નામ અને સ્થાપના (આકૃતિ) નિક્ષેપ આરાધ્ય છે તેમ દ્રવ્યનિક્ષેપ પણ આરાધ્ય છે એ વસ્તુ તો લોગસ્સસૂત્ર અંગે દર્શાવેલ નીચેની યુક્તિથી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy