SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકની સાધના ૦પ૭૭ નિરોધને યોગનું નામ આપે છે. શ્ચિત્તવૃત્તિનિરોધઃ (૧-૨) (૪) સામાયિક અને યોગની અભિનતા યોગની આ વ્યાખ્યાઓ સામાયિકને બરાબર લાગુ પડે છે. કેમ કે(૧) સામાયિક-મોક્ષમાર્ગમાં જોડનારો ધર્મવ્યાપાર છે. (૨) સામાયિક-સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિ કરાવનાર છે. (૩) સામાયિક-સમત્વને સાધનાર છે. (૪) સામાયિક-કુશલ અનુષ્ઠાનરૂપ છે. (૫) સામાયિક-ચિત્તની તમામ (ક્લેશોત્પાદક) વૃત્તિઓનો નિરોધ કરવાનું ઉત્તમ સાધન છે; એથી સામાયિક અને યોગ એ વાસ્તવિક રીતે અભિન્ન છે. (૫) ચાર પ્રકારની યોગ-પ્રણાલિકાઓ યોગ-પ્રણાલિકાઓ મુખ્યત્વે ચાર પ્રકારની છે : (૧) મંત્ર-યોગ, (૨) લયયોગ, (૩) રાજયોગ અને (૪) હઠયોગ. તે માટે કહ્યું છે કે योगश्चतुर्विधो मन्त्र-लय-राज-हठाभिधः । सिध्यत्यभ्यासयोगेन, सद्गुरोरुपदेशतः ॥ -બુદ્ધિસાર-પૃ. ૨૪. યોગ ચાર પ્રકારનો છે : (૧) મંત્ર, (૨) લય, (૩) રાજ અને (૪) હઠ. તે અભ્યાસના યોગથી તથા સગુરુના ઉપદેશથી સિદ્ધ થાય છે. (૬) સામાયિક રાજયોગ છે. આ ચાર વિભાગો પૈકી સામાયિકનો સમાવેશ રાજયોગપ્રણાલિકામાં થાય છે, કારણ કે તેનો હેતુ ચિત્તની ક્લેશમય અવસ્થાનો નાશ કરીને પ્રશમરૂપ ભાવ-સમાધિને પ્રાપ્ત કરવાનો છે. (૭) રાજયોગનું ક્રિયાત્મક સ્વરૂપ છે. મહર્ષિ પતંજલિએ યોગના ક્રિયાત્મક સ્વરૂપને ત્રણ વિભાગમાં પ્ર.-૧-૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy