SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૨) વિશિષ્ટ વ્રત સામાયિકની યોગ્ય સાધના થઈ શકે તે માટે શ્રાવક-ધર્મના અધિકારમાં એક વિશિષ્ટ વ્રતની યોજના કરવામાં આવી છે, જેને નવમું વ્રત, પ્રથમ શિક્ષાવ્રત કે સામાયિક-વ્રત કહેવામાં આવે છે. આ સામાયિકવ્રત જ સામાન્ય રીતે સામાયિકના નામથી ઓળખાય છે અને તેની જ વિચારણા અહીં પ્રસ્તુત છે. (૩) યૌગિક ક્રિયા આ સામાયિક-વ્રતની ક્રિયા એ કોઈ સામાન્ય સાધના નથી, પરંતુ અતિ ઉચ્ચ કોટિનું આધ્યાત્મિક અનુષ્ઠાન છે અથવા તો શુદ્ધ યૌગિક ક્રિયા છે. બહુશ્રુત વિદ્વાનોએ યોગની વ્યાખ્યા જુદી જુદી રીતે કરેલી છે. યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચ્ચય અને યોગવિંશિકા જેવા યોગના મનનીય ગ્રંથો રચનાર શ્રીહરિભદ્રસૂરિએ મોક્ષની સાથે જોડનારા સર્વ ધર્મ-વ્યાપારને યોગ તરીકે ઓળખાવેલ છે. मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्म-वावारो । (ચોવિંદુ ૨-૨) યોગના પરમ અભ્યાસી કલિકાલ-સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર નામના પ્રસિદ્ધ ગ્રંથમાં યોગનો પરિચય આપતાં જણાવ્યું છે કે चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञान-श्रद्धान-चारित्ररूपं रत्नत्रयं च सः ॥ (પ્ર. ૧, રત્નો. ૨૫) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં અગ્રણી મોક્ષ છે; તેની પ્રાપ્તિમાં યોગ કારણભૂત છે. તે યોગ સમ્ય-જ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ રત્નત્રયી-સ્વરૂપ છે. યોગની જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી વિશદ સમાલોચના ઈતર દર્શનકારોએ પણ કરી છે. મહર્ષિ વેદવ્યાસ ભગવદ્ગીતામાં સમત્વને તથા કર્મ-કુશલતાને યોગ તરીકે રજૂ કરે છે. સર્વ યોગ ઉચ્ચત્તે (મ. ૨-૪૮) યોજ: મૈસુ-ૌશનમ્ (૫-૨-૧૦) યોગતત્ત્વનો સમુચિત સંગ્રહ કરનાર ભગવાન્ પતંજલિ યોગ-દર્શનમાં ચિત્તવૃત્તિઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy