SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૮૦શ્રી શ્રાદ્ધ-સ્પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ઇચ્છા. સજઝાય સંદિસાહું ? (ગુરુ કહે, સંદિસહ) ઉપાસક કહે (૧૨) ખમા. પ્રણિ. ઇચ્છા. સઝાય કરું ? (ગુરુ કહે, કરેહ) ઉપાસક કહે ઇચ્છ. સ્વાધ્યાયનું મંગલાચરણ (૧૩) નમુક્કાર(નવકારમંત્ર)નો પાઠ ત્રણ વખત બોલવો, ઊભા રહીને આદેશ માગેલ હોય તો ઊભા ઊભા ત્રણ નવકાર ગણીને બેસવું અને બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી સમતાપૂર્વક સ્વાધ્યાય કરવો. સામાયિક લેવાના વિધિ અંગેની વિસ્તૃત સમજ યોગ અને અધ્યાત્મનો વિષય અતિ સૂક્ષ્મ હોઈને તથા પ્રાયઃ તે માનસિક હોઈને એવા પ્રસંગો અનેક વાર આવે છે કે જ્યારે સાધક સંશય કે ખેદનાં વિષમ વમળોમાં અટવાઈ જાય. આવા પ્રસંગે સદ્ગુરુ સિવાય કોણ સંશય ભાંગે ? કોણ ખેદને દૂર કરે ? ઇંદ્રભૂતિ ગૌતમના સંશયો શ્રીવીરગુરુએ છેદ્યા હતા, એટલે ગુરુનું સાન્નિધ્ય સામાયિક જેવા યોગાનુષ્ઠાન માટે અત્યંત આવશ્યક છે. શરીર, વસ્ત્ર અને ઉપકરણની શુદ્ધિ-પૂર્વક સામાયિકની સાધના કરવાને તત્પર બનેલો સાધક ભૂમિનું પ્રમાર્જન કરીને આવા સગુરુના સાન્નિધ્યમાં સામાયિકનું અનુષ્ઠાન કરે. જે સાધકને સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો નથી, તે ગુરુ પ્રત્યેનો વિનય જાળવી રાખવા માટે તેમની સ્થાપના કરીને સામાયિક કરે. આવી સ્થાપના કરવા માટે બાજોઠ આદિ ઉચ્ચ આસન પર અક્ષ, વરાટક, ધાર્મિક પુસ્તક કે જપમાલા આદિ મૂકીને તેમાં ગુરુપદની ભાવના ભાવવામાં આવે છે. તે માટે સ્થાપના-મુદ્રાથી જમણો હાથ તેની સન્મુખ રાખીને તથા ડાબા હાથમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy