SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક લેવાના વિધિ અંગેની વિસ્તૃત સમજ ૦ ૫૩૯ મુહપત્તી ધારણ કરી તે મુખ આગળ રાખીને પ્રથમ મંગલરૂપે નમુક્કાર (નવકારમંત્ર)નો પાઠ બોલવામાં આવે છે. પછી પંચિંદિય-સુત્ત (ગુરુસ્થાપનાસૂત્ર) બોલવામાં આવે છે. આ રીતે વિધિ અનુસાર સ્થાપવામાં આવે તે સ્થાપનાચાર્ય ગણાય છે અને ત્યાર પછી જે જે આદેશો કે અનુજ્ઞાઓ લેવાની હોય છે, તે તે તેની પાસેથી જ લેવામાં આવે છે. ગુરુમહારાજના સ્થાપનાચાર્ય હોય તો આ વિધિ કરવાની આવશ્યકતા નથી; પરંતુ સ્થાપનાચાર્ય એવી રીતે મૂકેલા હોવા જોઈએ કે તેમની અને સાધકની વચ્ચે ક્રિયા કરતી વખતે મનુષ્ય કે તિર્યંચની આડ પડવી જોઈએ નહીં; જો આડ પડી જાય તો ઇરિયાવહિયં પડિક્કમીને આગળ ક્રિયા કરવામાં આવે છે. સૂત્રની રચનામાં બહુશ્રુતોએ બને તેટલું રહસ્ય ઠાંસીને ભરેલું છે; એટલે તેનો પાઠ કરતી વખતે તે શુદ્ધ રીતે બોલાય અને સાથે સાથે તેના અર્થ તથા ભાવનું પણ ચિંતન થાય તે જરૂરી છે. નમસ્કારમંત્ર એ સામાયિકનું અંગ છે. જેણે સામાયિકનો નિર્દેશ કર્યો અને તેની પ્રરૂપણા કરી, તે અર્હત ભગવંતો તેમાં પ્રથમ સ્થાને બિરાજે છે. સામાયિકનું અંતિમ સાધ્ય સિદ્ધાવસ્થા છે, તેથી સિદ્ધ ભગવંતો તેમાં બીજા સ્થાને વિરાજે છે. ત્યારપછીનાં ત્રણ સ્થાનો સામાયિકની ઉત્કૃષ્ટ સાધના કરનાર આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુને અપાયેલાં છે. આ બધાની મહત્તા સામાયિકની સાધના અંગે જ છે. મંગલરૂપ નમસ્કાર-સૂત્ર બોલ્યા પછી પંચિંદિય-સૂત્ર બોલવામાં આવે છે. તેમાં ગુરુ-ગુણનું સ્મરણ છે. આવા ગુણવાળા ગુરુના સાંનિધ્યમાં બેસીને હું સામાયિકરૂપી આધ્યાત્મિક અનુષ્ઠાન કરી રહ્યો છું, એ વિચારથી સાધકને સાવદ્ય યોગના સંવર માટે આલંબન પ્રાપ્ત થાય છે. આટલો વિધિ કર્યા પછી ઊભા થઈને ગુરુને વંદન કરવાના હેતુથી ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ-એટલાં પદો બોલવામાં આવે છે. પછી ચ૨વલાથી ભૂમિને પ્રમાર્જીને નીચે નમતાં, મસ્તક તથા બે હાથ (અંજલિપૂર્વક) અને બે જાનુ (ગોંઠણ) એ પ્રમાણે પાંચ અંગો ભેગાં કરીને, ભૂમિએ સ્પર્શ કરવા પૂર્વક મત્થએણ વંદામિ એ પદો બોલવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy