SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ જય વિયરાય' સૂત્ર ૦ ૪૪૩ સમાજ અને ધર્મના ધારણ માટે અનુભવી મહાપુરુષોએ જે નિયમો દર્શાવ્યા છે. તેથી વિરુદ્ધ નહિ ચાલવાની મનોવૃત્તિ તે લોકવિરુદ્ધ-ત્યાગનો મર્મ છે. બીજા પંચાશકમાં કહ્યું છે કે :सव्वस्स चेव निंदा, विसेसओ तहय गुणसमिद्धाणं । उजुधम्मकरण हसणं, रीढा जण पूयणिज्जाणं ॥८॥ बहुजण विरुद्धसंगो, देसादाचारलंघणं चेव । उव्वण भोगो अ तहा, दाणाइ विपयंडमन्ने उ ॥९॥ साहुवसणंमि तोसो, सइ सामत्थंमि अपडिआरो य । एमाइआइँ इत्थं लोगविरुद्धाइं णेणाइं ॥१०॥ ભાવાર્થ - કોઈની પણ નિંદા કરવી તે લોકવિરુદ્ધ છે, તેમાં પણ ગુણવાનોની નિંદા વિશેષતયા લોકવિરુદ્ધ છે. સરળ (ભોળા) માણસની ધર્મકરણની(માં થતી ભૂલો)ની હાંસી કરવી, લોકોમાં માનનીય-પૂજનીય હોય તેઓની હલકાઈ-અપમાન કરવું, (૧) જેના ઘણા વિરોધી (વરી) હોય તેની સોબત કરવી, દેશ-કાળ-કુલ વગેરેના આચારોનું ઉલ્લંઘન કરવું-અર્થાત તે તે વ્યવહારોથી વિરુદ્ધ ચાલવું, દેશ-જાતિ-કુળને ન શોભે તેવો ઉભટ વેષ, ભોગ કરવા વગેરે લોકવિરુદ્ધ છે. ઉપરાંત દાન-તપ વગેરે કરીને લોકમાં જાહેર કરવું (મોટાઈ દેખાડવી) તેને પણ અન્ય આચાર્યો લોકવિરુદ્ધ કહે છે, (૨) તથા સાધુ-સજ્જનો ઉપર સંકટ આવે તેમાં ખુશી થવું, સામર્થ્ય છતાં બચાવવા માટે ઉદ્યમ નહિ કરવો, એ વગેરે લોકવિરુદ્ધ કાર્યોનો મારે ત્યાગ થાઓ. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ.૧, પૃ. ૪૫ર ગુરુના-પૂબ-વડીલો પ્રત્યે આદર-ભાવ અને ભક્તિ. “ગુરુ-શબ્દથી સામાન્ય રીતે ધર્મ-ગુરુ, વિદ્યા-ગુરુ કે કલા-ગુરુનો બોધ થાય છે તથા વ્યાવહારિક રીતિએ માતા-પિતા અને અન્ય વડીલોને પણ ગુરુ કહેવામાં આવે છે. તેથી વડીલો-મુરબ્બીઓ પ્રત્યે આદર-ભાવ અને ભક્તિ એ “ગુરુજન-પૂજા'નું રહસ્ય છે. પસ્થિરપાં-પરોપકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy