SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૩ પ્રાકૃત ભાષામાં નિબદ્ધ હોય તે સ્તોત્ર કહેવાય છે.' પ્રસ્તુત સ્તોત્રમાં ઉપર્યુક્ત બંને લક્ષણો ઘટિત થાય છે. આ સ્તોત્ર દ્વારા સ્તવનીય શ્રી પાર્શ્વનાથ ભગવંત છે કે જે સર્વ કર્મમલકલંકથી રહિત થયેલા છે તથા અભુતપુણ્યપ્રકૃતિસંપન્ન છે, તેથી આ સ્તોત્ર મહા પ્રભાવિક છે તથા આ સ્તોત્રના રચયિતા છેલ્લા ચૌદ પૂર્વધર, શ્રુતકેવલી, મહાનિમિત્તિક, ચરમ તીર્થંકર શ્રી વર્ધમાનસ્વામીની છઠ્ઠી પાટે થયેલા આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી છે તેથી આ સ્તોત્ર અનેક અર્થોથી સભર છે. તથા આ સ્તોત્ર સર્વજ્ઞ (ચૌદપૂર્વધર) ભાષિત છે તેથી દેવાધિષ્ઠિત છે તથા લક્ષણોપેત છે. ૨ મંગલાચરણ આ સ્તોત્રમાં મંગલ તરીકે શ્રી પાર્શ્વનાથસ્વામીનું અભિધાન (પા) મૂકવામાં આવ્યું છે. - જિનેન્દ્રોનું નામ મંગલ છે. તે નામ તે જ શ્રેષ્ઠ એવો સિદ્ધ મંત્ર છે તેમ સ્તોત્રો આદિમાં સ્થળે સ્થળે કહેવાયું છે. ઉપસર્ગો ‘ઉપસર્ગનો અર્થ છે જેના યોગે જીવ પીડા આદિની સાથે સંબંધ પામે તે. . उपसृज्यते संबध्यते पीडादिभिः सह जीवस्तेनेत्युपसर्गः ૨. પાયમાલીબદ્ધ થોત્ત | -ચે. વ. મ. ભા. પૃ. ૧૫૦ २. सव्वं च लक्खणोवेयं समहिट्ठन्ति देवता, सुत्तं च लक्खणोवेयं जेण सव्वण्णुभासियं । પા. સૂ. પૃ., પ. ૭૧ ૩. પારૂ નામવરસિદ્ધમંતનાવે છે . સ્તો. સં, ભા. ૨, પૃ. ૪૦ यत्राममन्त्राक्षरजापलेशाद् भव्या भवन्त्येव चिरं महेशाः ।। - જે. સ્તો. સૂ, ભા. ૨, પૃ. ૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy