SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર૦૩૫૧ (૨) પ્રશ્ન : સત્યસંકલ્પતાનો પ્રભાવ કોનામાં હોય ? ઉત્તર : સત્યસંકલ્પતાનો પ્રભાવ વિકૃષ્ટ તપવાળા મુનિઓમાં જ હોય છે અને તે પણ પ્રાણાતિપાત વિરમણ આદિ મહાવ્રતો તથા છઠ્ઠ અઠ્ઠમાદિ તપના પ્રભાવથી જ હોય છે.' (૩) પ્રશ્ન : શબ્દશક્તિથી અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવે ? કે પુરુષશક્તિથી પણ સંભવે ? ઉત્તર : અર્થક્રિયા કરવાનું સામર્થ્ય શબ્દશક્તિ તેમજ પુરુષશક્તિથી સંભવે છે. જો માત્ર શબ્દશક્તિથી જ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય માનવામાં આવે તો મુદ્રા મંડલ વગેરે નિષ્ફળ બની જાય અને તે કરવાની આવશ્યકતા ન રહે. ઉપરાંત વિધિ અને અભિસંધિના વિશેષની અપેક્ષા ન રહે. ૨ (૪) પ્રશ્ન : અભિસંધિ એટલે શું ? ઉત્તર : અભિસંધિ એટલે ફળ વગેરેનો ઉદેશ. પ્રશ્ન : મંત્રજાપ કરવાથી ફલસિદ્ધિ કેવી રીતે થાય ? ઉત્તર : મંત્રના રચયિતા દ્વારા જયાં જે પ્રકારનો સિદ્ધાંત નક્કી કરાય ત્યાં તે १. सत्यसंकल्पता च सुमुनीनां प्राणातिपातविरमणादिपञ्चमहाव्रत-षष्ठाष्टमादितपः રણપ્રમાવાસ્કૂઝતીવ સવેતસામ્ I સ્યા. ૨. પરિ. ૪ સૂ. ૭ પૃ. ૬૩૨-૬૩૩ २. न च वाच्यं शब्दशक्तित एव निर्विषीकरणादिफलनिष्पत्तिर्न पुनः पुरुषशक्ते रिति मुद्रामण्डलादीनां नैष्फल्ये नाकरणप्रसंगात्, पुरुषाणां विध्यभिसन्धिविशेषानपे-- क्षित्वप्रसंगाच्च । -સ્યા. ૨. પરિ. ૪. સૂ. ૭ પૃ. ૬૩૨-૬૩૩ ૩. જુઓ શબ્દચિંતામણિકોષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy