SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ४० નહિ, તો શાસ્ત્રકારોની દષ્ટિએ એ બન્ને નિષ્ફળ છે, નિરર્થક છે, હાનિકર છે. એ દૃષ્ટિને ખ્યાલમાં રાખીને જ્ઞાનનો અને ક્રિયાનો વિચાર કરવાનો છે. પ્રતિક્રમણની ક્રિયા અને તે માટેનું જ્ઞાન, તત્ત્વજ્ઞાનના અર્થીને નિરર્થક લાગતું હોય તો તે તત્ત્વજ્ઞાનનો સાચો અર્થ જ નથી, પરંતુ તત્ત્વજ્ઞાનના નામે કોઈ જુદું જ જ્ઞાન મેળવવાનો પિપાસુ છે. જે જ્ઞાન શાસ્રકારોની દૃષ્ટિએ કેવળ બોજારૂપ, પ્રમાદને પોષવારૂપ કે અહંકારાદિની વૃદ્ધિરૂપ જ બનવાનો મોટો સંભવ છે, અથવા તો તેનાથી તેને કોઈ પણ આત્મિક પ્રયોજન સિદ્ધ થાય તેમ નથી. શ્રીજિનશાસનમાં ક્રિયા માટે જ જ્ઞાન છે. જ્યાં ક્રિયાની જરૂર નથી ત્યાં જ્ઞાનની જરૂર નથી. અથવા દયા માટે જ્ઞાન છે, તેથી જ્યાં દયાની જરૂર નથી ત્યાં જ્ઞાનવૃદ્ધિની જરૂર જ નથી. દયાની રુચિથી વિહીનને જ્ઞાન અધિક નિર્દય બનાવે છે, તેમ ક્રિયાની રુચિથી વિહીનને જ્ઞાન અધિક નિષ્ક્રિય (પ્રમાદી) કે અધિક અસત્ક્રિય (પાપપરાયણ) બનાવે છે. મં નાળ તઓ ત્યા-પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા. એ શાસ્ત્રવચનોનો મર્મ દયા કે અહિંસાનો પાછળ રાખવા માટે નથી, પણ અધિક પુષ્ટ કરવા માટે છે. દયા એ સાધ્ય છે અને જ્ઞાન તેનું સાધન છે. સાધ્યની સિદ્ધિ માટે સાધનની જરૂર છે, સાધ્યને ભૂલી જવા માટે નહિ. સાધ્યને ભૂલી ગયા પછી સાધન એ સાધન જ રહેતું નથી. દયાને પુષ્ટ બનાવવા માટે જ્ઞાનને ભણો. અહિંસાને દઢ બનાવવા માટે જ્ઞાનને આદર આપો. એ અહીં તાત્પર્ય છે. દયાનો આદર્શ રાખીને જ્ઞાનને ભણવાનું છે. દયાને છોડીને જ્ઞાન ભણવાનો ઉપદેશ નથી. અહીં દયા એ ચારિત્રનું ઉપલક્ષણ છે. એ જ વાત ક્રિયા માટે છે. ક્રિયાને ટકાવવા માટે જ્ઞાન ભણો. ક્રિયા વિના કે ચારિત્ર વિના મોક્ષ નથી, માટે એવું જ્ઞાન ખૂબ ભણો કે-જેથી ચારિત્ર અને ક્રિયા સુદૃઢ થાય. પ્રતિક્રમણની ક્રિયા પણ ચારિત્રની શુદ્ધિ માટે છે. જેમ ચારિત્ર વિના મોક્ષ નથી, તેમ પ્રમાદગ્રસ્ત અને દોષોથી ભરેલા જીવોને, એ દોષોની વારંવાર શુદ્ધિરૂપ પ્રતિક્રમણ કર્યા વિના ચારિત્ર પણ નથી. જૈન શાસ્ત્રકારોનો એ ભારપૂર્વક ઉપદેશ છે કે કેવલ ભાવનાથી કે કેવળ તત્ત્વજ્ઞાનના બળથી કોઈ જીવોનો મોક્ષ થયો નથી, થતો નથી, કે થવાનો નથી. સદ્ગતિ કે મોક્ષનો મુખ્ય આધાર એકલું જ્ઞાન નહિ પણ જ્ઞાનયુક્ત ક્રિયા છે. જ્ઞાન તો કેવળ ક્રિયાને ઉત્તેજક તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy