SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આ દોષો પૈકી નંવોત્તર, તન અને સંયતિ એ ત્રણ દોષો સાધ્વીને ન હોય, કેમકે એનું શરીર વસ્ત્રાવૃત હોવું ઘટે છે. શ્રાવિકાને માટે આ ત્રણ ઉપરાંત નીચું જોવાની પણ છૂટ હોય છે, તેથી તેને વધૂ-તોષ લાગતો નથી. ગણા –વાર્થ વોસિરામિ-મારી કાયાનો ત્યાગ કરું છું. કેવી સ્થિતિમાં ત્યાગ કરું છું, તેના સ્પષ્ટીકરણ માટે ત્રણ પદો કહેલાં છે. હાપાં-ગ્રહણ કરેલા આસન વડે, કાયાને સ્થિર રાખીને. નોnvi-મૌન વડે, વાણીને સ્થિર રાખીને. ફા -સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરવા રૂપ ધ્યાન વડે, મનને સ્થિર રાખી. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા*. તેના ચાર પ્રકારો છે : (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુક્લધ્યાન. આ ધ્યાનોમાંથી પહેલાં બે અપ્રશસ્ત કે અશુભ છે અને છેલ્લાં બે પ્રશસ્ત કે શુભ છે. (૫) અર્થ-સંકલના શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત્તને લીધે મૂચ્છ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂમ રીતે સંચાર થવાથી, સ્થિર રાખેલી દષ્ટિ સૂક્ષ્મ રીતે હલી જવાથી : તથા અગ્નિ-સ્પર્શ, શરીર-છેદન અથવા સન્મુખ થતો પંચેંદ્રિય-વધ, ચોર કે રાજાની દખલગીરી અને સર્પદંશ; -એ કારણો ઉપસ્થિત થવાથી જે કાય-વ્યાપાર થાય, તેનાથી મારો કાયોત્સર્ગ ભાંગે નહિ કે વિરાજિત થાય નહિ, (એવી સમજ સાથે) હું ઊભેલી બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં રહીને મૌન ધારણ કરું છું તથા ચિત્તને + આ વ્યાખ્યા છદ્મસ્થોના ધ્યાનની છે. કેવલીઓને તો યોગનિરોધ એ જ ધ્યાન હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy