________________
અન્નત્થ-સૂત્ર ૦ ૧૨૩
ધ્યાનમાં જોડું છું અને જ્યાં સુધી નમો અરિહંતાણં પદ બોલીને કાયોત્સર્ગ પારું નહિ, ત્યાં સુધી મારા શરીરનો સંપૂર્ણ ત્યાગ કરું છું.
(૬) સૂત્ર-પરિચય કાયોત્સર્ગના યથાર્થ ઉપયોગથી ઇંદ્રિયો, કષાયો, રાગ-દ્વેષ તથા મનને જીતી શકાય છે; સમત્વને સાધી શકાય છે; અને પરિણામે સુખ તથા આનંદના અક્ષયધામ-સમાં આત્માનો સાક્ષાત્કાર કરી પરમ સિદ્ધિને પામી શકાય છે. આવી અદ્દભુત અને અલૌકિક ક્રિયાનો પરિચય કરાવવો તે પ્રસ્તુત સૂત્રનો હેતુ છે; તેથી તે કાયોત્સર્ગસૂત્રના નામે ઓળખાય છે.
કાયોત્સર્ગસૂત્ર મુખ્યત્વે ચાર, વિભાગોમાં વહેંચાયેલું છે; (૧) પ્રતિજ્ઞા, (૨) સ્વરૂપ, (૩) સમય અને (૪) આગાર. આ વિભાગોની મર્યાદામાં આવતી સૂત્રની શબ્દ-રચના નીચે મુજબ છે : ૧. પ્રતિજ્ઞા–સણા વાયં વોસિરા-મારી કાયાનો હું ત્યાગ કરું છું. ૨. સ્વરૂપ–ટા, મોળ, સાપ-સ્થાન વડે સ્થિર થઈને, મૌન વડે
સ્થિર થઈને, ધ્યાન વડે સ્થિર થઈને. ૩. સમય- ગવ રિહંતાઈ માવંતા નyear પવિ, તાવ- જયાં
સુધી નમો અરિહંતાણં બોલીને ન પારું ત્યાં સુધી. ૪. આગાર–સન્નત્ય લિ.દુષ્ય ને વડો -સિવાય કે ઊંચો
શ્વાસ વગેરેથી-મારો કાયોત્સર્ગ હોજો.
આ ચારે વિભાગોને વિગતવાર સમજવાથી કાયોત્સર્ગનું સાચું સ્વરૂપ સ્પષ્ટ રીતે અંકિત થશે.
૧. કાયોત્સર્ગની પ્રતિજ્ઞા-મારી કાયાનો હું ત્યાગ કરું છું. આ વાક્યનો ખરો અર્થ શું થાય છે તે સમજવાને માટે તેના પ્રત્યેક પદ પર વિચાર કરવો જરૂરી છે. તેમાં કાયાનો અર્થ તો દેહ, શરીર કે કલેવરના અર્થમાં સ્પષ્ટ છે. પરંતુ મારી અને ત્યાગ કરું છું એ શબ્દો વિશેષ વિચારણા માગે છે. મારી એટલે કોની ? અને ત્યાગ એટલે શેનો ત્યાગ ? તે સ્પષ્ટ થવાની જરૂર છે.
અનાદિ કાળના અધ્યાસથી કાયા અથવા શરીરને જ આપણે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org