SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્સ ઉત્તરી સૂત્ર ૯ ૧૦૫ वासी-चंदण-कप्पो, जो मरणे जीविए य सम सण्णो । देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥१४५८॥ ભાવાર્થ :- શરીરને કોઈ વાંસલાથી છેદી નાખે કે તેના પર ચંદનનો શાંતિદાયક લેપ કરે અથવા જીવન ટકે કે જલદી તેનો અંત આવે છતાં જે દેહ-ભાવનાથી ખરડાય નહિ અને મનને બરાબર સમભાવમાં રાખે તેને કાયોત્સર્ગ સિદ્ધ થાય છે. કાયોત્સર્ગ સિદ્ધ કરવા માટે પ્રથમ આસ્રવદ્ગારોનો સંવર કરવો પડે છે, એ વાત આગળ આવી ગયેલી છે. કાયોત્સર્ગથી શું લાભો થાય છે ? તેનો ઉત્તર આ. નિ.માં આ પ્રમાણે અપાયેલો છે : વેદ-મનદુ-સુદ્દી, સુદ-૯g-તિતિવયા માપેદા | झायइ य सुहं झाणं, एयग्गो काउस्सग्गंमि ॥१४६२ ॥ ભાવાર્થ :- (૧) કાયોત્સર્ગમાં એકાગ્ર થનારના દેહની જડતા નાશ પામે છે અને (૨) મતિની શુદ્ધિ થાય છે. (૩) તેનામાં સુખ-દુ:ખ સહન કરવાની શક્તિ આવે છે. (૪) તે સૂક્ષ્મ ચિંતન કરી શકે છે અને (૫) શુભ ધ્યાન ધરી શકે છે. (૫) અર્થ-સંકલના ઈરિયાવહી સૂત્રથી જીવવિરાધનાનું પ્રતિક્રમણ કર્યું, તેના અનુસંધાનમાં આ સૂત્ર કહેવાય છે. વિશેષ આલોચના અને નિંદા કરવા વડે, શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા વડે, ચિત્તનું વિશેષ શોધન કરવા વડે, [મિથ્યાત્વ, માયા અને નિદાન એ ત્રણ] શલ્યો દૂર કરવા વડે, પાપકર્મોનો સંપૂર્ણ નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું. (૬) સૂત્ર-પરિચય શ્રી દેવેન્દ્રસૂરિકૃત દેવવંદન-ભાષ્યમાં જણાવ્યું છે કે :अब्भुवगमो निमित्तं, ओहेअरहेउ संगहे पंच । जीवविराहणपडिक्कमणभेयओ तिनि चूलाए ॥३३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy