SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ શરીરમાં ત્રણ પડ્યું હોય અને તેમાંથી પરુ આવતું હોય તો વસ્ત્ર વગેરે વડે લૂછી નાખવા માત્રથી કે તેમાં દીવેટ વગેરે નાખીને સાફ કરવા માત્રથી તે અટકી જતું નથી. તેને અટકાવવા માટે ખાસ ચિકિત્સા કરીને વ્રણને મટાડવું પડે છે. આ જ રીતિ અતિચાર નિવારણ માટે છે. જો અતિચારો ન થાય તેવી સ્થિતિ ઉત્પન્ન કરવી હોય તો તેનાં પ્રભવસ્થાન સમા શલ્યોને શોધી કાઢીને દૂર કરવાં જોઈએ. આ માટે દરેક સાધકે પોતાના આત્માને ત્રણ પ્રશ્નો પૂછવા ઘટે છે : (૧) હું જે વ્રત-નિયમો પાળું છું, તેની સર્વશ્રેષ્ઠતા માટે તથા પરમસુખદાયકતા માટે નિઃશંક છું? (૨) હું જે વ્રત-નિયમો પાળું છું, તેમાં કોઈ પણ પ્રકારના માયાચાર કે દંભને સ્થાન આપું છું? (૩) હું જે વ્રત-નિયમો પાળું છું, તે સાશસ છે કે નિરાશસ? (જેમાં હમણાં કે પછી પૌગલિક સુખની ઇચ્છા હોય તે સાશંસ અને જેમાં માત્ર મોક્ષની જ ઈચ્છા હોય તે નિરાશસ.) જો પહેલા પ્રશ્નનો જવાબ નકારમાં આવે તો સમજવું કે મિથ્યાત્વ નામનું શલ્ય અંતરની ઊંડાણમાં ભરાઈ પેઠેલું છે. જો બીજા પ્રશ્નનો જવાબ હકારમાં આવે તો સમજવું કે માયા નામના શલ્ય હૃદયના કોઈ પણ ભાગમાં ડેરા-તંબૂ તાણેલા છે. અને જો ત્રીજા પ્રશ્નનો જવાબ સાઈંસ આવે તો સમજવું કે નિદાન નામના શલ્ય ચિત્તના ચોતરા પર અધિકાર જમાવેલો છે. આ ત્રણ શલ્યો મોક્ષમાર્ગમાં પરમ અંતરાયરૂપ છે, એટલે આત્માને ચારિત્રની ઉચ્ચ કોટિ સુધી પહોંચવા દેતા નથી અને ભયારણ્યમાં ભમાવ્યા કરે છે, તેથી પ્રત્યેક સાધકે એની જડ ઉખેડવી જોઈએ અને એ જ વિશલ્યીકરણની ક્રિયા છે. જેને વિશલ્યીકરણની ક્રિયા સિદ્ધ થઈ હોય, તે ભારેમાં ભારે પાપોનો જોતજોતામાં નિર્ધાત કરી શકે છે અને પ્રશસ્ત ધ્યાનમાં પ્રવર્તતો થકો મોક્ષની સમીપે જાય છે. વાયો-ધ્યાન સિદ્ધ કરવા માટેની અવસ્થાવિશેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy