SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્સ ઉત્તરી સૂત્ર આ પ્રમાણે ચિંતન કરે : હે આત્મન્ ! ભવારણ્યનો નિસ્તાર પામવા તેં જે ચારિત્ર ગ્રહણ કર્યું છે, તેની રક્ષા કરનાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે, તે તું સારી રીતે જાણે છે, છતાં તેનું નિરતિચાર પાલન કેમ કરતો નથી ? તેમાં નાના-મોટા અતિચારો શા માટે લાગવા દે છે ? ૯૭ હે આત્મન્ ! આ અતિચારો લાગવાનું મુખ્ય કારણ ઉપયોગની શૂન્યતા છે, એટલે કે ચિત્તવૃત્તિની ચંચલતા મટેલી નહિ હોવાથી તે યત્રતંત્ર ભ્રમણ કરે છે અને તેથી તું ઈર્યાદિસમિતિમાં, જોઈએ તેવો ઉપયોગ રાખી શકતો નથી, તેથી ચિત્તવૃત્તિની ચંચલતા ટાળવા માટે ઉદ્યત થા. હે આત્મન્ ! ચિત્તની વૃત્તિઓ કેમ ચંચળ બને છે, તેનો વિચાર કર. તેં સદ્ગુરુના મુખથી આત્માનું સ્વરૂપ શ્રવણ કર્યું છે, પણ તેના પર જોઈએ તેવું મનન અને નિદિધ્યાસન કર્યું નથી, તેથી ચિત્તની વૃત્તિઓ બહિર્મુખ થાય છે; માટે પૌદ્ગલિક વસ્તુઓને પોતાનો વિષય બનાવે છે; માટે તું ફરી ફરીને આત્માનું સ્વરૂપ ચિંતવ અને તે માટે કાયોત્સર્ગનો આશ્રય લે. હે આત્મન્ ! કાયોત્સર્ગના અભ્યાસથી તું મનની ચંચલતાને જીતી શકીશ, સમિતિ તથા ગુપ્તિમાં પૂરેપૂરો યતનાવંત થઈ શકીશ તથા ચારિત્રનું નિરતિચાર · પાલન કરી શકીશ, માટે કાયોત્સર્ગનો અભ્યાસ કર. શ્રી જિનેશ્વર દેવે કાયોત્સર્ગને સવુવશ્વ-વિમોવળ એટલે સર્વ દુઃખોથી મુકાવનાર કહ્યો છે, તે વાતને પુનઃ પુનઃ યાદ કરી તેમાં પ્રવૃત્ત થા. હે આત્મન્ ! શ્રીજિનેશ્વર દેવે કહ્યું છે કે જે શલ્યથી યુક્ત છે, તે વ્રતધારી થઈ શકતો નથી,× માટે તું સૂક્ષ્મ ચિંતન વડે શલ્યને શોધી કાઢ અને તેને દૂર કર. વિસરીવળેળ-મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્ય દૂર કરવા વડે. × નિ:શયો વ્રતી । ત. અ. ૩-૧૩. પ્ર.-૧-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy