SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ TIME Asia News Article By Maseeh Rahaman, New Delhi-India May 29, 2000 Vol. 156 No. 21 5. ભારતનાં પવિત્ર પ્રાણીઓ (ગાયો) પ્રત્યેની નિર્દયતા Headline News: આંતરરાષ્ટ્રીય પ્રાણી હક્ક આપણા પવિત્ર પ્રાણીઓના જંગાલિયતયુક્ત સ્થળાંતર અને કતલ ખુલ્લી પાડવાનું કામ કરે છે તથા ભારત ઉપર તેનાં પવિત્ર પ્રાણીઓ તરફ અતિનિંદ્ય નિર્દયતા આચરવાનો આરોપ મૂકે છે. Cruelty towards India's Holy Animals: કોઈપણ દેશ તેનાં પ્રાણીઓ તરફ કેવું વર્તન રાખે છે તેના ઉપરથી તે દેશ અંગે અનુમાન કરી શકાય છે એમ મહાત્મા ગાંધી માનતા હતા. જો આ માપદંડ તેમના પોતાના જ દેશ-ભારતને લાગુ પાડવામાં આવે તો તે પશુઘરને લાયક ગણાય. હિન્દુઓ પ્રભુના ઘણાં સર્જનો/પશુ-પંખીઓ પ્રત્યે પૂજ્યભાવ ધરાવે છે અને ગાય-ભેંસને તેઓ વિશેષ પ્રકારે પૂજ્ય ગણે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રાણી હક્ક અંગેની સંસ્થા People for the Ethical Treatment of Animals (PETA) ના સભ્યોના એક જૂથે ભારતીય ગાય- ભેંસનું જે રીતે સ્થળાંતર કરવામાં આવે છે અને ગેરકાયદેસર કતલખાને મોકલવામાં આવે છે, તે રીતે આચરાતી ભયંકર પીડાદાયક, કમકમાટી ઉપજાવે તેવી નિર્દયતાને ખુલ્લી કરી છે. રેલવે તથા ટ્રકોમાં ખીચોખીચ ઊભી રાખી ઘણી લાંબી મુસાફરી પછી ઘણી ગાય-ભેંસ કાં તો મૃત્યુ પામેલી હાલતમાં અથવા ખરાબ રીતે ઘવાયેલી હાલતમાં તેના સ્થાને પહોંચે છે. PETA ના પ્રમુખ ઈન્ગ્રીડ ન્યૂકીર્ક (Ingrid Newkrik) કહે છે : તે ગાય-ભેંસ માટે દાંતેની નરક છે. ભારતનું પશુધન દુનિયાનું સૌથી મોટું/વધુ અંદાજે 50 કરોડ કરતાં પણ વધુ છે. તેમાં અડધા કરતાંય વધુ સંખ્યા માત્ર ગાય-ભેંસ-બળદની છે. એક વખત તેઓ કાંઈ પણ કમાણી કરાવતાં અટકી જાય એટલે
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy