SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) ઇતિહાસ: ભરત ચક્રવર્તીએ આ મંદિર બનાવ્યું છે અને ચૌમુખજી ચારે દિશામાં ચાર મૂર્તિઓ સ્થાપિત કરી છે. આચાર્ય ભદ્રબાહુ દ્વારા રચિત બૃહદ કલ્પસૂત્રના પ્રાચીન તીર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં અનેક આચાર્યોએ આ તીર્થની મુલાકાત લીધી હતી. વિમલ વસાહી નામનું હાલનું મંદિર ભગવાન આદિનાથના માનમાં વિમલ શાહ દ્વારા અગિયારમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. અંબિકાદેવીને ખુશ કરીને તેમણે ભગવાન આદિનાથની ૨૫૦૦ વર્ષ જૂની મૂર્તિ મેળવી હતી. ૧૨૩૦ એડીમાં બે ઉદાર ભાઈઓ વસ્તુપાલ અને તેજપાલે ભગવાન નેમિનાથના માનમાં લુનાગા વસાહી નામનું બીજું મંદિર બનાવ્યું. આ ભવ્ય મંદિર તેજપાલની પત્ની અનુપમા દેવીની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું. મૂળનાયક ભગવાનની નેમિનાથની મુખ્ય મૂર્તિ જાજરમાન છે. કલા અને શિલ્પકામ: આ મંદિરો શ્વેતારસની અદભૂત કોતરણી અને નકશીકામ માટે જગવિખ્યાત છે. વિમલ વસાહી મંદિરના છત, ગુંબજ, દરવાજા, થાંભલા, અને દીવાલો બારીક કોતરણીની કુશળતાના ઉત્તમ નમૂના છે. ૧૨ શણગારેલા, ઉત્તમ કોતરકામ કરેલા સ્તંભોના આધારે બનેલો રંગમંડપ આકર્ષક કેન્દ્રીય ગુંબજ અને સરસ કોતરણી સાથે ભવ્ય લાગે છે. થાંભલા પર વાધ્ય વગાડતી સ્ત્રી પૂતળીઓ અને ૧૬ વિદ્યાદેવીઓ (દરેક પોતાના ચિન્હ સાથે) છે. સુશોભિત થાંભલાઓના આધાર પર બનેલી જુદી જુદી ડિજાઇનની સુંદર કોતરણીવાળા ૯ લંબચોરસ છતોનો સમૂહ જેને નવચોંકી કહેવાય છે. છતમાં કમળ-કળીઓ, પાંખડીઓ, ફૂલો તેમજ જૈન અને હિન્દુ પૌરાણિક કથાઓના દ્રશ્યોની કોતરણી કરાયેલ રચનાઓ છે. મંદિરની આજુબાજુ બીજા ૫૯ નાના મંદિરો છે. આ અસાધારણ સ્મારક બનાવવા માટે ૧૪૦૦ કારીગરો અને ૧૨૦૦ મજૂરોને ૧૪ વર્ષનો સમય લાગ્યો હતો. લૂનાગા વહિ મંદિરમાં, દેરાણી જેઠાણીના ગોખલામાની કોતરણી ખૂબ જ સુંદર છે. સફેદ આરસની કોતરણી લગભગ પારદર્શક હોય એટલી નાજુક છે. એવું કહેવાય છે કે આરસની રજકણોના વજન જેટલું સોનું શિલ્પકારોને ચુકવવામાં આવ્યુ હતું. મુખ્ય હોલ અથવા રંગમંડપના કેન્દ્રીય ગુંબજમાં વિસ્તૃત નકશીકામ વાળી સુોભિત ડિઇન છે. એક ગોળ પરિક્રમામાં બેઠેલી મુદ્રામાં ૭૨ તિર્થંકરોની પ્રતિમા છે અને તેની નીચે બીજી ગોળ પરિક્રમામાં ૩૬૦ જૈન સાધુઓની પ્રતિમા છે. મંદિરના પરસાળ, આધાર સ્તંભો, કમાનો અને મંડપ આકર્ષક છે. નવ ચોકી મંદિરમાં આરસપહાણના પથ્થર કાપવાની કારીગરી ખૂબ જ ભવ્ય અને નાજુક છે. નવ છતની સુંદરતા એકબીજાથી ચડે એવી છે. હાથી શીલા અથવા હાથીકોષમાં ૧૦ સુંદર ચમકતા આરસના હાથીઓ છે. અદભૂત કલા અને શિલ્પકામ જોવા માટે વિશ્વભરના લોકો અહીંયા આવે છે. D.7.1.5 શ્રી રાણકપુર તીર્થ મૂળનાયક: પદ્માસન મુદ્રામાં આદિનાથ ભગવાનની લગભગ છ ફુટ ઉંચી સફેદ રંગની મૂર્તિ છે. Page 83 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy