________________
Compodium of Jainism – Part (II)
તીર્થ: કુદરતી સૌંદર્યની વચ્ચે દૂર રાજસ્થાન રાજ્યના રત્નાપુરી ગામમાં આવેલ છે.
ઇતિહાસ: અંબર પથ્થરમાં અદભુત રીતે કોતરવામાં આવેલા રાણકપુર જૈન મંદિરો તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર પંદરમી સદીમાં રાણા કુંભના શાસન દરમ્યાન બનાવવામાં આવ્યું હતું. જૈન ઉદ્યોગપતિ ધરણાશાહને સ્વપ્ન આવ્યું હતું કે નલિની ગામમાં સ્વર્ગીય નિવાસસ્થાન જેવું મંદિર બનાવવું. રાજાની પરવાનગી અને સહાયથી આ ત્રણ માળનું મંદિર તે સમયમાં ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.
કળા અને શિલ્પકામ: કલાત્મક અને સાંસ્કૃતિક દ્રષ્ટીકોણથી ૪૮૦૦૦ ચોરસ ફૂટના વિસ્તાર સાથે આખું મંદિર સુંદર અને ભવ્ય લાગે છે. જાણે કે વિશ્વની અનેક અજાયબીઓમાનું એક હોય. મંદિરના અંતરાળમાં આદિનાથ ભગવાનની ચાર મૂર્તિઓ ચારે દિશામાં ચૌમુખજી અને મંદિરમાં ચાર પ્રવેશ દ્વાર છે. ત્યાં ચાર નાના મંદિરો છે, અને ૨૪ સ્તંભોવાળો હોલ છે અને ૪૦૦ થી વધુ સ્તંભના આધાર પર ગુંબજ છે. જુદી જુદી બારીક કોતરણીવાળા ૧૪૪૪ સ્તંભો છે. ૪૦ ફૂટ ઊંચા આ કોનરણીથી શણગારેલા તંત્ર મુલાકાતીઓ માટે વિસ્મય ઉભું કરે છે. સ્નોની ચપળ ગોઠવણીથી મંદિરના કોઈપણ સ્થાનથી મૂર્તિનું અવિત દર્શન થાય છે. મુખ્ય ગુંબજની ટીચ મર્યાદામાં કોતરવામાં આવેલા પથ્થરને જુમ્મરની જેમ મધ્યમાં નીચે ખેંચવામાં આવ્યો છે. કેવી રીતે પથ્થરનું વજન અસમર્થિત અટકાવી રાખવામાં આવ્યું છે તે વણઉકલાયેલ રહસ્ય છે. શિલ્પકારોએ જૈન શાસ્ત્રના વિશાળ ભંડારમાંથી જીવન કથાઓ કોતરી છે. આકર્ષક ચિત્રોના ઉદાહરણરૂપે એક જ પથ્થરમાં બારીક કોતરણીથી બનાવેલી હજારનાગથી રક્ષિત ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ અને ૧૦૦૦ શિખરોવાળાં પર્વત છે. અહીં મુખ્ય મંદિરની આસપાસ ૮૪ નાના- મોટા મંદિરો છે. સભા હોલમાં ૧૦૮ કિલોગ્રામ વજન વાળા બે મોટા ઘંટ છે જેના અવાજનો પડઘો ત્રણ માઈલ સુધી સંભળાય છે. દરેક ઘંટનો ઊંચો અને નીચો સાદ એકબીજાના પૂરક છે અને એક મિનિટ માટે આપણી નાભીમાં ‘ઓમ' નો અવાજ ઉત્પન્ન કરે છે.
ભગવાન મહાવીર સ્વામી અને ઋષભદેવ ભગવાનની મૂર્તિઓ કીમતી પથ્થરોથી સજ્જ ૬૦૦ વર્ષ પછી પણ કાચની જેમ ચમકે છે.
D.7.1.6 શ્રી શ્રવણબેલગોડા તીર્થ
મૂળનાયક: લગભગ ૫૭ ફૂટ ઊંચી આછા બદામી રંગના ગ્રેનાઈટ થી બનેલી કાર્યોત્સર્ગ મુદ્રામાં ભગવાન બાહુબલિની મૂર્તિ.
તીર્થ: કર્ણાટક રાજ્યના શ્રવણબેલગોડા ગામની નજીક વિંધ્ય ગીરી ટેકરી પર છે.
ઇતિહાસ: શ્રી ગોમતેશ્વર જે બાહુબલીના નામે ઓળખાય છે તે સુપ્રસિદ્ધ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. આ તીર્થ ૯૮૧ એડીમાં ગંગારસ રાજાના સલાહકાર માતા
Page 84 of 307