________________
Compodium of Jainism – Part (II)
ચામુંડરાયના માતાની પ્રેરણાથી બનાવવામાં આવ્યું છે. શ્રવણબેલગોડાનો અર્થ “The Monk on the top of the hill - શિખરના ટોચ ઉપર સાધુ છે. ૩જી સદી પૂર્વેથી અનેક સંન્યાસીઓ, તપસ્વીઓ અને વૈરાગીઓ ત્યાં યાત્રા કરી રહ્યા છે. દસમી સદીના મધ્યમાં મંદિરો બનાવવાનું શરૂ થયું અને તે સ્થળ જૈન ધર્મના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનમાંનું એક બન્યું. શ્રવણ બેલગોડાનો મુખ્ય તહેવાર ‘મહામસ્તકાભિષેક' છે. આ અતુલ્ય પ્રસંગે અહી ૫ લાખથી વધુ ભક્તો યાત્રા કરે છે. પ્રતિમાની આજુબાજુ એક પાલખ બનાવવામાં આવે છે. પવિત્ર મંત્રોના જાપ સાથે ઘડામાં ભરેલા ચંદન, ફૂલો અને કિમતી વનસ્પતિવાળા પાણીથી વિધિપૂર્વક પ્રતિમાનો અભિષેક કરાય છે. ઉપરથી નીચે વહેતા પ્રતિમા ઉપરના આ પાણીમાં આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત થાય છે. પગ પાસે પાણી ભેગું કરી ભકતોમાં વિતરણ કરવામાં આવે છે. આ તહેવાર દુર્લભ જ્યોતિષીય સમયગાળા દરમિયાન બાર વર્ષે ફક્ત એક જ વાર મનાવવામાં આવે છે.
કલા અને શિલ્પકામ: ફક્ત એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલી બાહુબલીની આ વિશાળ પ્રતિમા ભવ્ય વૈભવશાળી લાગે છે. આ પ્રતિમાં 20 કિલોમીટરના અંતર થી પણ દેખાય છે. ખૂબ જ સરળતા પુર્વક સુંદર રીતે દર્શાવેલી પ્રતિમાની વિશેષતા પવિત્ર લાગે છે. તેમનો ચિંતનશીલ મનોભાવ ભારતીય શિલ્પકાર નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમના હળવા સ્મિત સાથે મરકતા હોઠ જાણે દુનિયાને અનાસક્ત થઈને જુએ છે એવું લાગે છે.
D.7.1.7 શ્રી અયોધ્યા તીર્થ
મૂળનાયક: પદ્માશન મુદ્રામાં શ્વેતામ્બર પરંપરા મુજબના ભગવાન અજીતનાથની એક ફૂટ ઊંચી તાંબાના રંગની મૂર્તિ અને કાર્યોત્સર્ગ મુદ્રામાં દિગંબર પરંપરાના ભગવાન આદિનાથની 30 ફૂટ ઊંચી સફેદ રંગની મૂર્તિ.
તીર્થ: ઉત્તર પ્રદેશ રાજ્યના હસ્તિનાપુર ગામમાં આ તીર્થ છે.
ઇતિહાસ: આદિનાથ આ સ્થાનના પ્રથમ રાજા હતા. આ ભગવાન આદિનાથનું ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકનું સ્થાન મનાય છે. તે ઉપરાંત અજીતનાથ ભગવાન, અભિનંદન સ્વામી ભગવાન, સુમતિનાથ ભગવાન અને અનંતનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા તેમજ કેવલજ્ઞાન કલ્યાણક આ સ્થળે થયા હોવાનું મનાય છે. તેથી આ તીર્થ ખાસ શુભ અને પવિત્ર મનાય છે. આપણા દેશનું નામ જેમના નામ પરથી રાખવામાં આવ્યું છે તે ભરત ચક્રવર્તીએ આ સ્થાનને તેમનું પાટનગર બનાવ્યું હતું. તે ઉપરાંત આ સ્થાન બાહુબલી, બ્રાહ્મી, સુંદરી, દશરથ રાજા, શ્રી રામ, ભગવાન મહાવીર સ્વામીના નવમા ગણધર અચલ ભદ્ર અને એવા ધણા ધાર્મિક લોકોની જન્મભૂમિ છે. ધણા ધાર્મિક રાજાઓ તેમના સલાહકારો અને મહાપુરુષોએ અહીં અસંખ્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરી અને માત્ર જૈન ધર્મની મહિમાનો જ નહીં પરંતુ ભારતના ગૌરવમાં વધારો કર્યો.
Page 85 of 307