SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) ખીલજીની સેનાએ મંદિરને ભારે નુકશાન પહોંચાડ્યું. પરંતુ સંઘ દ્વારા મુખ્ય મૂર્તિને બચાવી લેવામ આવી. ૧૭૬૦ થી આ વિશાળ અને સુંદર મંદિરમાં ૫૨ મૂર્તિઓ છે અને તે મૂર્તિઓની આસપાસ ફરવા માટેનો માર્ગાળોમતી) છે. આ મંદિરના ચમત્કારોનું સંપૂર્ણ વર્ણન અનેક પુસ્તકોના સંગ્રહ પણ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણની સેનાના ઘાયલ માણસો યુધ્ધ પછી શંખેશ્વર તીર્થ પર પહોંચ્યા. પછી તેઓએ તેમના ઘાને શુદ્ધ કરવા માટે તીર્થમાંથી પવિત્ર જળનો ઉપયોગ કર્યો અને પાણીના સંપર્કથી તેમના જખ્મો તરત જ સાજા થયા. હજારો વર્ષોથી પૂજાતી આ મૂર્તિ અનેક શ્રદ્ધાળુ યાત્રીકોને આકર્ષે છે તેથી આ તીર્થનું અપાર મહત્વ છે. કલા અને શિલ્પકામ: આજે પણ ભક્તો આ ભવ્ય મૂર્તિના ચમત્કારનો અનુભવ કરે છે. એમ કહેવાય છે કે ધરણેન્દ્ર દેવ, શ્રી પદ્માવતી દેવી, પાર્શ્વ યક્ષ અને શ્રી ચકેશ્વરી દેવીની મૂર્તિઓ આ તીર્થની રક્ષા કરે છે. ઉપાસકોના અવરોધો દૂર કરે છે અને તેઓની મનોકામના પૂર્ણ કરે છે. પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણક પ્રસંગે અને દિવાળી પર હજારો યાત્રાળુઓ અહીં આવી અઠ્ઠમ તપની આરાધના કરે છે. આસપાસની 52 દેરીઓ સાથે આ પ્રાચીન અને ભવ્ય મંદિર ખૂબ જ સુંદર લાગે છે. D.7.1.3 શ્રી તારંગા તીર્થ મૂળનાયક: ૯ ફુટ ઊંચી ભગવાન અજીતનાથની સફેદ રંગની મૂર્તિ છે. તીર્થ: ગુજરાત રાજ્યની તારંગા ટેકરી ઉપર છે. ઇતિહાસ: શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળના શાસન દરમિયાન આ મંદિર ૧૧૬૫ એડી માં બનાવવામાં આવ્યું હતું. ભૂતકાળમાં અનેક સાધુઓએ આસપાસની ટેકરીમાં ધ્યાન ધરતા નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. કલા અને શિલ્પકામ: આ મંદિર ૫૦ ફૂટ લાંબુ, ૧૦૦ ફૂટ પહોળું અને ૧૪૨ ફૂટ ઊંચું છે. ચાર માળના દેરાસર પીળા પથ્થરથી બનેલું છે અને શિખર અને વિશાળ ખુલ્લા ચોગાન સાથે અદભૂત અને આકર્ષક લાગે છે. આ મંદિર તેના ઊંચા શિખર માટે પ્રખ્યાત છે. આ મંદિર બનાવવા અગ્નિ પ્રતિરોધક એવા ટગર લાકડાનો ઉપયોગ કરવામા આવ્યો છે. D.7.1.4 શ્રી આબુ દેલવાડા તીર્થ મૂળનાયક: પાંચ ફૂટ ઊંચી સફેદ રંગની આદિનાથ ભગવાનની પદ્માસન મુદ્રામાં મૂર્તિ છે. તીર્થ: ભારતના રાજસ્થાન રાજ્યના માઉન્ટ આબુ પર્વત પાસે જૈન દેલવાડાના મંદિરો આવેલા છે. Page 82 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy