________________
Compodium of Jainism – Part (II)
છે. ભક્તો અને મુલાકાતીઓ માટે વિસ્મય પ્રેરક છે. ભવ્ય આરસથી બનેલા મંદિરોના ઘૂમટો અને આકાશને લક્ષમાં રાખતાં શિખરો અદ્વિતીય છે. આ પર્વતનું શિખર તળેટીથી લગભગ બે માઈલ છે અને લગભગ ૩૭૪૫ પગથિયા છે. વહેલી સવારે આ પર્વત ચઢતા સુંદર સૂર્યોદય સમયે શેત્રુંજી નદીનો ઝગમગાટ જોઈ શકાય છે. પાલિતાણા તીર્થ માનવ ઉદ્યોગ, સ્થાપત્ય, કુશળતા, ઉદારતા અને ધાર્મિક ભક્તિનો સંયોજન દર્શાવે છે. દરેક ધર્મપ્રેમી જૈન તીર્થની પવિત્રતાના કારણે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછું એકવાર પાલિતાણાની જાત્રા કરવાની ઈચ્છા રાખે છે.
ઇતિહાસ: શત્રુંજય શાશ્વત તીર્થ તરીકે ઓળખાય છે. આ પ્રાચીન તીર્થ સ્થાન પર તીર્થંકર ઋષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામીએ નિર્વાણ મેળવ્યું હતું. જોકે મોટા ભાગના મંદિરો આધુનિક છે, તેઓ પ્રાગ ઐતિહાસિક સમયથી ઘણી વાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. ઐતિહાસિક રીતે હાલનું મંદિર ૧૨મી સદીમાં રાજા કુમારપાળના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. દુર્ભાગ્યે ૧૪મી અને ૧૫મી સદીમાં મુસ્લિમ શાસન દરમ્યાન શત્રુંજયને ખૂબ વિનાશ સહન કરવો પડયો પરંતુ પછી પુનઃ નિર્માણ થયું. સત્તરમી સદીના અંતથી શત્રુંજય વધુને વધુ મહત્વપૂર્ણ બન્યું છે. દર વર્ષે ફાગણ સુદ તેરસના દિવસે લગભગ વીસ હજાર યાત્રાળુઓ ૧૨ માઈલ (છ ગાવ, જ્યાં એક ગામ બરાબર ૩.૨ કી.મી.) ની યાત્રા કરે છે. શત્રુંજયની યાત્રા મહાન ગુણ ઉત્પન્ન કરે છે.
કલા અને શિલ્પકૃતિના કાર્યો: મુખ્ય મંદિર બે માળનું છે. એક ભવ્ય પ્રભાવશાળી માળખું છે જેને ૭૨ થાંભલાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. તેની આજુબાજુ કલાત્મક બાલ્કનીઓ છે. આ પર્વત પર મુખ્ય મંદિર ઉપરાંત મંદિર સંકુલ છે. એ બધા નવ ટૂંક તરીકે ઓળખાય છે. એમાંના એક મંદિરનું શિખર વીસ માઇલના અંતરથી પણ દેખાય છે. આ બધા મંદિરો જુદા જુદા સમયે અલગ અલગ મહાનુભાવો દ્વારા બંધાવવામાં આવ્યા હતા તેથી તે બધાં તેઓના નામથી પ્રસિદ્ધ છે. આ બધા નાના મોટા મંદિરોમાં લગભગ દસ હજારથી વધારે તીર્થંકરોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.
D.7.1.2 શ્રી શંખેશ્વર તીર્થ
મૂળનાયક: ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથની પદ્માસન મુદ્રામાં છ ફુટ ઉંચી સફેદ રંગની પ્રતિમા છે. તીર્થ : ગુજરાત રાજ્યના એક ગામની મધ્યમાં છે.
ઇતિહાસ: પ્રાચીન શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ અષાઢી શ્રાવકની ભગવાન પાર્શ્વનાથ પ્રત્યેની ભક્તિથી આ મંદિરનું ઉત્થાન થયું. તેમની મહાન આસ્થાથી પ્રેરિત પ્રાચીનકાળથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પુજા કરવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ અને પછી પુનઃ નિર્માણ અનેકવાર થયું છે. મુખ્ય નવીનીકરણ અગિયારમી સદીમાં સજજન શાહ દ્વારા અને ત્યારબાદ તેરમી સદીમાં વસ્તુપાલ અને તેજપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૪મી સદીમાં અલ્લાદિન
Page 81 of 307