SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) D.7.1 જૈન તીર્થ સ્થાનો: D.7 જૈન મંદિરો અને તીર્થસ્થાનો પવિત્ર સ્થળોની યાત્રા વિશ્વના વ્યવહારિક દરેક ધર્મની પરંપરાનો એક ભાગ છે. મુસાફરીની મુશ્કેલીઓ શરીરની શિસ્તતા જાળવે છે અને સહયાત્રિકોનો સહવાસ ધાર્મિક શ્રદ્ધાને મજબૂત બનાવે છે. જ્યાં એક સમયે તીર્થંકર ભગવાન અને મહાન સંતો વિચર્યા હતા તે સ્થાન પ્રાર્થના અને ઉપાસના માટે પ્રેરણાદાયક અને ઉત્સાહજનક બને છે. મનને શાંતિ મળે છે અને આત્મા યોગ્યતાને પ્રાપ્ત કરે છે. ભારત આધ્યાત્મિક અને ભક્તિ પ્રધાન દેશ છે. ભારતમાં જૈન મંદિરો, જૈન તીર્થંકરો કે જેઓએ અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના સિદ્ધાંત આપ્યા તેઓના જીવન અને પ્રવૃત્તિઓ સાથેના અભિન્ન જોડાણની વાત કરે છે. કેટલાક પવિત્ર સ્થળ જ્યાં પ્રબુદ્ધ આત્માનો જન્મ સ્થળ, દીક્ષા સ્થાન અને મોક્ષ પ્રાપ્તિનું સ્થાન છે તેનું વિશેષ મહત્વ છે. આ તીર્થંકરોએ સ્પર્શ કરેલા અને વિહાર કરેલા સ્થાનો પવિત્ર સ્થળ તરીકે પ્રખ્યાત થયા હતા. તેથી ત્યાં તિર્થંકરોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પવિત્ર સ્થળો અને ધાર્મિક વાતાવરણથી ભક્તિભાવના આજુ બાજુ ફેલાય છે અને આંતરિક સુખ અને શાંતિ મળે છે જે આત્માના ઉત્થાન તરફ દોરી જાય છે. ભારત દેશની કળા અને સ્થાપત્ય તેની ધાર્મિક ભક્તિ તેમજ આર્થિક સમૃદ્ધિનું પ્રતિબિંબ છે. જેના વિના વિસ્તૃત કોતરણીમય મંદિરનું નિર્માણ શક્ય ન હતું. ભારતીય ઇતિહાસમાં, કલા અને સ્થાપત્યને દરેક તબક્કે સમૃદ્ધ વેપારીઓ અને રાજકુમારોનું સમર્થન મળ્યું હતું, જેમણે ધાર્મિક નેતાઓ અને માન્યતાઓના સ્મરણાર્થે ભવ્ય ખર્ચ કર્યો હતો. તીર્થસ્થાનોએ લાખો લોકોને આકર્ષ્યા છે. ભારતીય પરંપરા ભક્તોને મહાન જૈન સ્થાપત્ય જોવા અને મહાન તીર્થંકરો (જેમણે કઠોર તપશ્ચર્યા દ્વારા, જૈન ધર્મ દ્વારા માનવતા અને પુન:જન્મના ફેરામાંથી મુક્તિનો માર્ગ બતાવ્યો હતો) ના ઉપદેશોને જાણવા અને સમજવા માટે અપીલ કરે છે. તીર્થસ્થાનો તીર્થંકરો અને અન્ય સંતોની અમર કથા દર્શાવે છે. મૂર્તિઓ, ભીંત ચિત્રો અને મંદિરોમાં શિલાલેખો તીર્થંકરોના સંદેશ આપે છે. B.7.1.1 શ્રી પાલિતાણા નીર્થ મૂળનાયક: ઊંચાઈ ૭ ફૂટ પદ્માશન મુદ્રામાં ભગવાન આદિનાથની સફેદ રંગની મૂર્તિ. તીર્થ: આ તીર્થ ગુજરાત રાજ્યમાં શત્રુંજય નદીના તટ પર આવેલા શેત્રુંજય પર્વત ઉપર છે. આ શત્રુંજય પર્વત પર લગભગ ૯૦૦ મંદિરો છે જે એકબીજાની સુંદરતા અને ભવ્યતાના પ્રતિસ્પર્ધી Page 80 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy