________________
Compodium of Jainism – Part (II)
D.6.13 ફાગણ સુદ તેરસ
આ દિવસ ફાગણ મહિનાના તેરમા દિવસે(માર્ચ મહિનાની શરૂઆતમાં) આવે છે. આ દિવસે શત્રુંજય તીર્થમાં ૬ ગાઉની જાત્રા કરવામાં આવે છે.
D.6.14 બાર તિથિ
દરેક મહિનાની બંને પક્ષની બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદસ, અને પૂનમ-અમાસ એમ થઇને ૧૨ તિથિ હોય છે. મોટાભાગના જૈનો પાંચ તિથિ એટલે કે સુદ પાંચમ, ૨ આઠમ અને ૨ ચૌદસ પાળે છે. જૈન શાસ્ત્રો સૂચવે છે કે આ દિવસોમાંથી કોઈ એક દિવસે આવતા જન્મના આયુષ્ય કર્મનું બંધ થાય છે અને આ દિવસોમાં કરવામાં આવતી ધાર્મિક ક્રિયાનું આગવું મહત્વ છે.
D.6.15 ચોમાસી ચૌદસ
કારતક, ફાગણ અને અષાઢ મહિનાની સુદ ચૌદસને ચોમાસી ચૌદસ કહેવાય છે.
D.6.16 મહામસ્તકાભિષેક
કદાચ મોટા ઉત્સવપૂર્વક થતી જૈન પૂજાનો સૌથી મોટું ઉદાહરણ મહામસ્તકાભિષેક છે જે દર ૧૨ વર્ષે શ્રવણબેલગોડામાં થાય છે. આ ધાર્મિક નાયક બાહુબલિના સન્માન માટે હોય છે જેમની ૫૭ ફૂટની વિરાટ પથ્થરમાંથી કંડારેલી પ્રતિમા લગભગ એક હજાર વર્ષ પહેલા બનાવેલી છે.
બંને સંપ્રદાયના હજારો જૈનો અમુક અઠવાડિયા સુધી ચાલતા આ સમારોહમાં બાહુબલીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા ઉમટે છે; આ રીતે બાહુબલી એક એવા સન્માનના હકદાર બને છે જે સામાન્ય સંજોગોમાં માત્ર તીર્થંકરોને જ અપાય છે.
જ્યાં સુધી આ મસ્તકાભિષેકનો સમારોહ ચાલે ત્યાં સુધી વિશાળકાય પ્રતિમાની પાછળ મોટી પાલખી બાંધવામાં આવે છે. જેની ઉપર ભક્તો ચઢીને વિવિધ પ્રકારના પવિત્ર દ્રવ્ય જેવા કે શુદ્ધ પાણી અને ચંદનની પેસ્ટ વગેરે ઉપરથી પ્રતિમાનો મસ્તકાભિષેક કરી શકે. એવું કહેવાય છે કે આવા પર્વોમાં ભાગ લેવાથી પુણ્ય બંધ થાય છે અને સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે.
એવી રીતે કામ કરો કે તમને પૈસાની જરૂર નથી. એવી રીતે પ્રેમ કરો કે તમે ક્યારેય દુભાવાના નથી. એવી રીતે નાચો કે કોઈ તમને જોતું નથી. એવી રીતે ત્રાઓ કે કોઇ તમને સાંભળતું નથી. એવી રીતે જીવો કે પૃથ્વી પર જ સ્વર્ગ છે.
Page 79 of 307