________________
Compodium of Jainism - Part (II)
ભગવાન નેમિનાથ ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક અને ૧૯માં તીર્થંકર ભગવાન મલ્લિનાથ ભગવાનનું જ્ઞાન, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક આવે છે. આ દિવસે કરવામાં આવતી કોઈ પણ ધાર્મિક ક્રિયા અનેકગણું ફળ આપે છે. એવું કહેવાય છે કે આ દિવસે કરવામાં આવતો ૧ ઉપવાસ ૧૫૦ ઉપવાસનું ફળ આપે છે.
D.6.10 પોષ દસમી
આ દિવસ ૨૩માં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. માગસર મહિનાના કૃષ્ણ પક્ષના ૯, ૧૦, ને ૧૧ માં દિવસે મૉટે ભાગે ડિસેમ્બર મહિનામાં સેંકડો અને હજારો જૈનો અઠ્ઠમ એટલે કે ૩ દિવસ ઉપવાસ કરીને ભક્તિ અને સાધના દ્વારા પોતાનું કલ્યાણ કરે છે. શંખેશ્વર જે જૈનોનું પવિત્ર તીર્થ છે ત્યાં ખુબ મોટો મેળો ભરાય છે. જો કોઈ ત્રણ દિવસ ઉપવાસ ન કરી શકે તો તે ત્રણ દિવસ એકાસણા પણ કરી શકે છે. જેમાં પહેલા દિવસે સાકરના પાણીથી, બીજા દિવસે ખીરથી અને ત્રીજા દિવસે ભર્યા ભાણાનું એકાસણું કરવાનું હોય છે.
D.6.11 વરસીતપ
આ આખું વરસ ચાલતી તપશ્ચર્યા છે જેમાં એક દિવસ ઉપવાસ અને તેના પછીના દિવસે એકાસણું કે બિયામણું એમ વારાફરતી કરવાનું હોય છે. આ આખા વરસનું તપ એ ઘટનાની ચાદરૂપે છે જયારે પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનને દીક્ષા પછી એક વરસ સુધી ગોચરી મળી ન હતી. આ વરસીતપના પારણાં ભારતમાં હસ્તિનાપુરમાં ખુબ જ ધામધૂમથી કરવામાં આવે છે. જ્યાં ભગવાન આદિનાથના પ્રપૌત્ર શ્રેયાંસકુમારે ભગવાનને શેરડીના રસથી પારણાં કરાવ્યા હતા.
D.6.12 અક્ષય તૃતીયા - વરસીતપના પારણાં
આ દિવસે ભગવાન ઋષભદેવ પોતાના એક વરસના ઉપવાસ તોડીને પારણાં કર્યા હતા. જે જૈનોએ એક વર્ષ સુધી દર બીજા દિવસે ઉપવાસ કરીને તપ કર્યું હોય છે તેઓ આ દિવસે શેરડીના રસથી પારણાં કરે છે.
આ પર્વ વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ ૮૩ લાખ પૂર્વના સંસારી જીવન પછી સંસાર ત્યજીને દીક્ષા લીધી હતી. ભગવાન ઋષભદેવ ગોચરી માટે ઘણા ઘરોમાં ગયા, પરંતુ કોઈ તેમની અન્ન માટેની ઈચ્છાને સમજી શક્યા નહિ. લોકો તેમને હાથી, ઘોડા, આભૂષણો અને કન્યાઓ પણ આપવાની તૈયારી બતાવી પરંતુ કોઈએ અન્ન ન આપ્યું.
ભગવાન ઋષભદેવે પૂર્વ ભવમાં એક બળદના મોં પર જાળી બાંધીને તેને અન્નથી વંચિત રાખવાનું કાર્ય કર્યું હતું. તે કર્મના ફળ સ્વરૂપે આ ઘટના બની. છેવટે શ્રેયાંસ કુમારે તેમને શેરડીનો રસ આપીને પારણાં કરાવ્યા. ત્યારથી આ દિવસને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે.
Page 78 of 307