SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) થાય છે. ચાર મહિનાના વર્ષાકાળ પછી સાધુઓ વિહાર કરવાનું ચાલુ કરે છે અને શત્રુંજયની યાત્રા ફરીથી શરુ થાય છે. આખી દુનિયામાંથી બધા જૈનો આવીને શત્રુંજય, ગુજરાતમાં આવેલા ગિરનાર અને બીજા તીર્થસ્થળોએ જાય છે જ્યાં ખાસ સમારોહ રાખવામાં આવે છે. ચાંદનીના પ્રકાશથી ભરેલા આકાશની નીચે બધા દિવા પ્રગટાવીને પરિવારની સાથે દિવાળીના પખવાડિયાના અંતને ઉજવે છે. એવું કહેવાય છે કે શત્રુંજયનો અર્થ થાય છે શત્રુઓને હરાવવા. શત્રુંજય તીર્થની યાત્રા કર્મ-શત્રુને હરાવવા થાય છે, આથી એવું કહેવાય છે કે શત્રુંજયના દરેક પગલે પૂર્વ ભવના કર્મોનો નાશ થાય છે. જેમને કેવળજ્ઞાન મળેલું છે તેઓ પણ શત્રુંજયનો મહિમા વર્ણવવા સક્ષમ નથી. જે વ્યક્તિઓ શત્રુંજય ન જઈ શકે તે પોતાના ક્ષેત્રમાં શત્રુંજય પટની સ્થાપના કરી તેના દર્શન કરે છે. શત્રુંજય તીર્થનો મહિમા અદભૂત છે. D.6.8 નવપદ ઓળી વર્ષમાં બે વખત માર્ચ-એપ્રિલ(ચૈત્ર) અને સપ્ટેમ્બર-ઓક્ટોબર(આસો) ના મહિનામાં નવ દિવસનો આયંબિલ નામે ઉપવાસ કરવામાં આવે છે. જેમાં દિવસમાં ફક્ત એક જ વખત ભોજન લેવાનું હોય છે અને તે પણ ખુબ જ સાદું - મસાલા, મીઠું, દૂધ, તેલ, ઘી, ફળો કે શાકભાજી સિવાયનું ભોજન લેવામાં આવે છે. તે નવપદ - પંચ પરમેષ્ઠિ અને દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ પર ધ્યાન ધરીને કરવામાં આવે છે. આ દિવસોમાં નવપદનું મહત્વ સમજાવવામાં આવે છે. રાજા શ્રીપાળ અને મયણા સુંદરી નવપદના પરમ ભક્ત હતા. કર્મના સિદ્ધાંતને સારી રીતે સમજીને તેમણે નવપદની ખુબજ સાધના અને ભક્તિ કરી. આમ કરવાથી તેમણે પોતાના કર્મો ખપાવ્યાં, પોતાની પરિસ્થિતિ સુધારી અને છેવટે મુક્તિને પામ્યા. D.6.9 મૌન અગ્યારસ આ વરસનો સૌથી પવિત્ર દિવસ છે. આ દિવસે જુદા જુદા તીર્થંકરોના જન્મ, કેવળજ્ઞાન અને નિર્વાણના જુદા જુદા ૧૫૦ કલ્યાણકો આવે છે. આ નવેમ્બર/ડિસેમ્બર ના મહિનામાં, ગુજરાતી પંચાંગ મુજબ માગસર મહિનાની સુદ અગ્યારસે આવે છે. આ દિવસે સંપૂર્ણ મૌન અને ઉપવાસ રાખવામાં આવે છે અને તીર્થંકરો જેમના કલ્યાણકો હોય છે તેમનામાં ધ્યાન ધરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે ઉપાશ્રયમાં રહીને સાધુ જીવન જીવે છે. ભરત ક્ષેત્રમાં ૧૮માં તીર્થંકર- અરનાથ તીર્થંકર ભગવાનનું દીક્ષા કલ્યાણક, ૨૧માં તીર્થંકર Page 77 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy