________________
Compodium of Jainism – Part (II)
D.6.5.5 ભાઈબીજ(ભાઈ માટેનો તહેવાર)
રાજા મંદિવર્ધન ભગવાન મહાવીરના નિર્વાણ પછી ખુબ જ શોકમાં ડૂબેલા હતા. નવા વર્ષના બીજા દિવસે તેમની બહેન સુદર્શનાએ તેમને એમના ઘરે બોલાવ્યા અને તેમને સાંત્વના આપી. આ દિવસ ભાઈબીજ તરીકે ઓળખાય છે. આ પર્વ રક્ષાબંધનના જેવો છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના ઘરે જાય છે અને રક્ષા(રાખડી - પવિત્ર દોરો) બાંધે છે અને તેના લાંબા અને સુખી જીવનની કામના કરે છે, પણ ભાઈબીજના દિવસે બહેન ભાઈને પોતાના ઘરે બોલાવે છે અને પોતાનો આદર અને પ્રેમ દર્શાવે છે.
D.6.6 જ્ઞાન પંચમી(જ્ઞાનની પૂજાનો પવિત્ર દિવસ)
જ્ઞાન પંચમી હિન્દુ પંચાંગના પ્રથમ મહિના કારતકના શુક્લ પક્ષની પાંચમે ઉજવાય છે. આ દિવસ સમ્યગ જ્ઞાનની આરાધનાનો દિવસ છે. દરેક ધર્મમાં જ્ઞાનનું મહત્વ છે. જૈન ધર્મ જ્ઞાન પર એટલા માટે ભાર મૂકે છે કેમ કે જ્ઞાન આત્માનો સહજ સ્વભાવ છે. સાચા જ્ઞાન થકી જ કોઈ સાચા માર્ગ પર ચાલી શકે છે.
આ દિવસે લોકોને જ્ઞાન આપે છે તેવા શાસ્ત્રોની વાસક્ષેપથી વિશેષ ભક્તિથી પૂજા કરાય છે. જૈન શાસ્ત્રોને વિવિધ જગ્યા એ દર્શન માટે મુકાય છે. લોકો આ જગ્યાની મુલાકાત લઇ ને પોતે સતત જ્ઞાન મેળવવાની શક્તિ મેળવી શકે તે માટે આશીર્વાદ માંગે છે. આ દિવસે સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિક્રમણ વગેરે પણ કરવામાં આવે છે. ધાર્મિક પુસ્તકાલયોમાં રાખેલા ગ્રંથોને પણ બહાર કાઢીને તેમને સાફ કરવામાં આવે છે અને તેમની માવજત કરવામાં આવે છે. ભણવાના સાધનોનું સન્માન કરવા માટે પૂજા દરમ્યાન પેન, પેન્સિલ, નોટબુકો વગેરે પણ મુકવામાં આવે છે.
જ્ઞાનાવરણીય કર્મને ખપાવવા પર ભાર મુકવામાં આવે છે. આ દિવસે નીચેની પંક્તિઓ ગાવામાં આવે છે:
સમકિત શ્રદ્ધાવંતને ઉજ્જયો જ્ઞાન પ્રકાશ,
પ્રણમું પદ કંજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ,
આ દિવસે 'ૐ હ્રીમ નમો નાણસ્સ' પદની માળાનો જાપ કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે. ભૂતકાળમાં વરદત્ત અને ગુણમંજરીએ તેના વિરુદ્ધ કંઈક કાર્ય કર્યું હતું જેના પાપ તેમને ભોગવવા પડ્યા હતા.
D.6.7 દેવ દિવાળી કે કાર્તકી પૂર્ણિમાં
આ ગુજરાતી કૅલેન્ડર મુજબ પ્રથમ માસ કારતકનો પંદરમો દિવસ છે. આ દિવસે ચાતુર્માસ પૂર્ણ
Page 76 of 307