________________
Compodium of Jainism - Part (II)
ઉજવવામાં આવે છે. દરેક દિવસનું પોતાનું આગવું મહત્વ અને માન્યતા છે.
D.6.5.1 ધનતેરસ
ધન એટલે સંપત્તિ અને તેરસ એટલે આસો મહિનાનો તેરમો દિવસ. દિવાળીનો પ્રથમ દિવસ ધનતેરસ છે. પ્રવેશદ્વાર પર આસોપાલવ(કે આંબાના પાન કે ગલગોટા) ના તોરણો લગાવવામાં આવે છે. મહેમાનોના સ્વાગત માટે જુદાજુદા રંગોથી રંગોળી કરવામાં આવે છે. કોઈ આ દિવસને ધ્યાન તેરસ પણ કહે છે. આ પહેલાનો દિવસ વાક્ બારસ તરીકે પણ ઓળખાય છે. વાક્ નો એક અર્થ જ્ઞાન છે.
D.6.5.2 કાળીચૌદસ
ધનતેરસ પછીનો દિવસ કાળીચૌદસ તરીકે ઓળખાય છે. કેટલાક જૈનો આ દિવસથી બે દિવસના ઉપવાસ(છઠ) ની શરૂઆત કરે છે કેમ કે આ દિવસથી ભગવાન મહાવીરે એમની છેલ્લી દેશના આપવાની શરૂઆત કરી હતી. જે ૪૮ કલાક ચાલી હતી(દિવાળીની મધ્યરાત્રિ સુધી).
D.6.5.3 દિવાળી
રૂ
દિવાળીના દિવસે ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર નિર્વાણને પામ્યા હતા. આ પ્રકાશનું પર્વ છે. જેમ દિપકને પ્રજ્વલિત રાખવા માટે રૂ અને તેલની જરૂર પડે છે તેમ અંતરના દિપકને પ્રજ્વલિત રાખવા સમ્યગ શ્રદ્ધા, જ્ઞાન અને આચરણની જરૂર પડે છે. દિપાવલી કે દિવાળીના દિવસે ઘરની અંદર અને બહાર દિવા પ્રગટાવવામાં આવે છે.
D.6.5.4 બેસતું વર્ષ
ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ઈંદ્રભૂતિ ગૌતમ પોતાના પ્રભુ પ્રત્યેના રાગથી મુક્ત થઇ શકતા ન હતા અને આથી તેમને કેવળજ્ઞાન પ્રગટ્યું ન હતું. આ તેમનું અવરોધક પરિબળ ભગવાન મહાવીરના નિર્વાણના થોડા સમયના શોક બાદ તૂટ્યું. છેવટે તેઓ વીતરાગતાના શિખરે પોહચ્યા અને તેમને બેસતા વર્ષની વહેલી સવારે કેવળજ્ઞાન મળ્યું. જૈનો તેમનું નવું વરસ ગુરુ ગૌતમ સ્વામીને યાદ કરીને, નવ સ્તોત્ર(નવ સ્મરણ) ને ભક્તિથી સાંભળીને અને ગૌતમ સ્વામીનો પવિત્ર રાસ સાંભળીને કરે છે. કેટલાક લોકો બેસતા વરસના દિવસે પણ ઉપવાસ ચાલુ રાખીને સળંગ ૩ દિવસના ઉપવાસ કરે છે. સાચી પ્રાર્થના એવી હોવી જોઈએ કે "આખું વર્ષ સાચા ધર્મ, બૌદ્ધિક શાંતિ અને સમતાથી ભરેલું રહે."
Page 75 of 307