________________
Compodium of Jainism – Part (II)
અપનાવવાનું શીખવે છે.
દિવાળી શબ્દ સંસ્કૃત શબ્દ 'દિપાવલી' પરથી આવ્યો છે. 'દિપ' એટલે પ્રકાશ અને 'અવલી' એટલે હારમાળા. આથી દિપાવલીનો અર્થ થાય છે દિપોની હારમાળા. દિવાળી એ અશ્વિન કે આસો મહિનાની અમાસે ઉજવવામાં આવે છે.
લોકો માટીના દિપક પ્રગટાવીને, ઘરને રંગોળીથી સજાવીને અને મિત્રો અને પરિવારજનોને ભોજન માટે બોલાવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. જૈન દર્શનમાં દિવો પ્રગટાવવો અંતરમાં પ્રકાશ કરવા માટે પ્રતીકાત્મક રૂપે છે. જેમ દિવો આજુબાજુમાં પ્રકાશ કરે છે તેમ આપણી હાજરીથી આપણી આજુબાજુના લોકોને પણ ખુશી થવી જોઈએ. આપણે તેમના જીવનમાં અને પોતાના જીવનમાં પણ શાંતિ અને ખુશી લાવવા પ્રયત્નશીલ રેહવું જોઈએ.
જૈનો માટે દિવાળી ઈ.સ.પૂર્વે ૫૨૭માં ભગવાન મહાવીરને મળેલ નિર્વાણ કલ્યાણકની વાર્ષિક તિથિ છે. આ તહેવાર આસો મહિનાના છેલ્લા દિવસે આવે છે કે જે હિન્દુ પંચાંગનો છેલ્લો દિવસ છે. પણ તેની ઉજવણી આગળના દિવસથી ચાલુ થઇ જાય છે કેમ કે આગળના દિવસથી શરુ કરીને ભગવાને ૨ દિવસ સુધી તેમની ઉત્તરાધ્યાન સૂત્ર નામે ઓળખાતી છેલ્લી દેશના આપી હતી અને દિવાળીએ મધ્યરાત્રીએ તે નિર્વાણ પામ્યા હતા.
ઉત્તર ભારતના ૧૮ રાજાઓ ભગવાન મહાવીરની છેલ્લી દેશનામાં હાજર હતા. તેમણે એવું નક્કી કર્યું કે તેમના ગુરુનું જ્ઞાન દિપક પ્રગટાવવાના પ્રતીકાત્મક રૂપે જીવંત રેહવું જોઈએ. આથી તેને દિપાવલી કે દિવાળી કહે છે. પરંતુ ભગવાન મહાવીરનું જ્ઞાન ફક્ત દિપક પ્રગટાવવાથી જીવંત નહિ રાખી શકાય. એ તો બાહ્ય અભિગમ છે. ખરેખર તો આપણે મહાવીર ભગવાને બતાવેલો માર્ગ અનુસરીને આપણી આંતરિક દ્રષ્ટિનો દિપક પ્રગટાવવો જોઈએ.
દિપક પ્રગટાવવા માટીનું કોડિયું, તેલ અને રૂની દિવેટ જોઈએ છે. તેમ આપણા અંતરનો દિપ પ્રગટાવવા સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક ચરિત્ર અને સમ્યક તપની જરૂર પડે છે. બાહ્ય દિપકને ઓક્સિજનની જરૂર પડે છે અને અંતરના દિપકને પુરુષાર્થની જરૂર પડે છે. આચરણમાં સારી વસ્તુઓ ઉતારવી દિવાળી ઉજવવાનો રસ્તો છે. અમુક લોકો ૨ દિવસ જેમ ભગવાન મહાવીરે કર્યો હતો તેમ ઉપવાસ કરે છે. કેટલાક લોકો "શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ" અને "શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ" ના જાપ માળાના મણકા પર કરે છે. ટૂંકમાં દિવાળી અંતરની સમૃદ્ધિ વધારવા માટે છે.
સામાજિક દ્રષ્ટિ એ આ પારંપરિક ભારતીય તહેવાર છે જેમાં બધા મિત્રો, પરિવારજનો અને પાડોસીઓને મળીને મીઠાઈઓ આપે છે અને અભિવાદન કરે છે. જૈન વેપારીઓ પોતાના જુના નામાઓને બંધ કરીને નવા નામાંના ચોપડાની સાદગીથી પૂજા કરે છે. દિવાળી પાંચ દિવસ સુધી
Page 74 of 307