________________
Compodium of Jainism - Part (II)
D.6.4 મહાવીર જન્મ કલ્યાણક (મહાવીર જયંતિ)
મહાવીર જયંતિ બીજું અગત્યનું જૈન પર્વ છે. જૈન સમાજ મહાવીર જયંતિને ખુબ જ ભક્તિથી ઉજવે છે. મહાવીર જયંતિ ચૈત્ર સુદ તેરસ એટલે કે ખ્રિસ્તી કૅલેન્ડર મુજબ માર્ચ-એપ્રિલના મહિનામાં આવે છે. ભગવાન મહાવીર સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીને ત્યાં ઈ.સ.પૂર્વે ૫૯૯માં લછવાડ જિલ્લાના ક્ષત્રિયકુંડ નગરમાં જન્મ્યા હતા.
બીજા ભારતીય તહેવારોથી અલગ મહાવીર જયંતિ જૈનોના તપસ્વી સ્વભાવને ધ્યાનમાં લઇને ખુબ જ શાંતિ અને ભક્તિથી ઉજવવામાં આવે છે. આ શાંત ઉજવણીના ભાગરૂપે જૈનો વિવિધ દેરાસરો-મંદિરોમાં દર્શન કરવા જાય છે, અને પૂજા અને ભક્તિથી મહાવીર જયંતિ ઉજવે છે. જુદા જુદા તીર્થસ્થાનોની મુલાકાત લેવી એ પણ ઉજવણીનો મહત્વનો ભાગ છે. જૈન દેરાસરોમાં વિશેષ પ્રકારે ભક્તિ થાય છે. લોકો ભગવાન મહાવીરની વાણી સમજવા માટે વિવિધ વ્યાખ્યાનો સાંભળે છે. આ દિવસ આપણને ભગવાન મહાવીરની ઉત્તમ કરુણા અને મુક્તિના માર્ગની યાદ અપાવે છે.
ભગવાનના જન્મ દિવસે ખુશી અને ભક્તિ પ્રદર્શિત કરવા મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવે છે. ઘણા મંદિરોમાં ધાર્મિક ક્રિયાઓ કે સ્નાત્રપૂજા ખુબ જ ઉત્સાહપૂર્વક ભણાવવામાં આવે છે. ઘણી જગ્યાએ ભગવાન મહાવીરની પ્રતિમાને સુંદર રથમાં બેસાડીને ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવે B.
યુવાપેઢી માટે પણ ખુબ જ આનંદ અને શિક્ષણનો અનુભવ બની રહે છે કેમ કે આ દિવસે ભગવાન મહાવીરના જીવનને લગતા ઘણા પ્રવચનો, નાટકો, ગીતો કે નૃત્ય કરવામાં આવે છે. મૂર્તિપૂજક સંપ્રદાયના લોકો દેરાસરમાં જઈને ભગવાન મહાવીરની પ્રતિમાની પૂજા કરે છે અને મૂર્તિપૂજક સમુદાય સિવાયના લોકો ભગવાનના સિદ્ધાંતોને અંતરમાં સમાવાનો પ્રયાસ કરે છે.
આ પર્વનું ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષ મહત્વ છે કેમ કે જૈનોના પ્રાચીન તીર્થો જેવા કે ગિરનાર, દેલવાડા, પાલીતાણા વગેરે આ રાજ્યોમાં આવેલા છે. મહાવીર જયંતિ બિહાર રાજ્યમાં આવેલા પાવાપુરીમાં પણ ધામધૂમથી ઉજવાય છે કેમ કે અહીં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા.
D.6.5 દિવાળી
દિવાળી દરેક ભારતીય અને વિદેશમાં વસતા ભારતીયો માટે પણ ખુબ જ આનંદનો ઉત્સવ છે. તે ખુશીનો અને બધાએ સાથે મળીને ઉજવવાનો ઉત્સવ છે. આ એક એવો અવસર છે જ્યાં દરેક પોતાનો ધર્મ કે આર્થિક પરિસ્થિતિ ભૂલીને આનંદ મનાવે છે. દિવાળી આપણને સાચા મૂલ્યોને સાચવીને અજ્ઞાનનો નાશ કરીને, માનવતા સાચવીને, અંધકારને દૂર કરીને જ્ઞાનના પ્રકાશને
Page 73 of 307