________________
Compodium of Jainism – Part (II)
D.6.1.3 દીક્ષા / તપ કલ્યાણક
આ એ ઘટના છે જયારે તીર્થંકર સંસારનો ત્યાગ કરીને, પોતાના પરિવારને છોડીને સાધુ/સાધ્વી બને છે. તે ખુદનો સાધુપણામાં પ્રવેશ કરાવે છે. તેમના દીક્ષાના સમયના ૧ વરસ પહેલા લોકાંતિક દેવતાઓ તેમને આવીને પ્રણામ કરે છે અને તેમને સર્વ જીવોના કલ્યાણ માટે તીર્થ સ્થાપવા માટે વિનંતી કરે છે. જયારે તીર્થંકર સંસાર છોડીને દીક્ષા લે છે ત્યારે તેમને ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રગટે છે.
D.6.1.4 કેવળજ્ઞાન કલ્યાણક
આ એ ઘટના છે જયારે તીર્થંકર ભગવાન કઠિન સાધના અને તપ કરીને પોતાના ચારેય ઘાતી કર્મોનો નાશ કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
તીર્થંકર બન્યા બાદ દેવરાજ ઇન્દ્ર તેમના માટે ૮ પ્રતિહાર્યની રચના કરે છે અને ત્રણ સ્તરનું ઊંચું સમોવસરણ બનાવે છે. જેની ઉપર બેસીને ભગવાન દેશના આપે છે. આ સંપૂર્ણ જૈન સમાજ માટે અત્યંત મહત્વની ઘટના છે કેમ કે આ સમયે ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને તીર્થ પ્રવર્તાવે છે અને મુક્તિનો માર્ગ બતાવે છે. દેવતાઓ, મનુષ્યો, સાધુ-સાધ્વી અને પ્રાણીઓ બધા જ ભગવાનની દેશના સાંભળે છે.
D.6.1.5 નિર્વાણ કલ્યાણક
આ એ ઘટના છે જયારે તીર્થંકર ભગવાન દેહ છોડીને જન્મ-મરણના ફેરામાંથી હંમેશા માટે મુક્ત થઈને સિદ્ધ બને છે. નિર્વાણની પહેલા તીર્થંકર ભગવાન પોતાના ચારેય અઘાતી કર્મોનો નાશ કરીને અનંત સુખની અવસ્થા એટલે મોક્ષ મેળવે છે.
એ પવિત્ર સ્થળો જ્યાં તીર્થંકર ભગવાનના કલ્યાણકો થયા હતા તે આજના સમયના યાત્રાધામો છે. તીર્થંકર ઉત્તમ મનુષ્યો હોય છે જે આપણને આદર્શ મનુષ્યનું દ્રષ્ટાંત આપે છે જેમાં આપણે ધાર્મિક શરણ લેવાનું હોય છે.
D.6.2 પર્યુષણ મહાપર્વ
પર્યુષણ મહાપર્વની વધુ વિગત માટે જુઓ 051
D.6.3 દસ લક્ષણ પર્વ
દસ લક્ષણ પર્વની વધુ વિગત માટે જુઓ D.5.2
Page 72 of 307