________________
Compodium of Jainism – Part (II)
અક્રમની
ગેરસમજ
ખોટી અપેક્ષાઓ
બીજાની ભાવનાઓને જાણતા કે અજાણતા ઠેસ પહોંચાડવી
ઈર્ષા
કોષ્ટક D.5-D
જયારે કોઈ આપણી વિચારસરણી સાથે સહમત ન થાય ત્યારે આપણને તેઓ ગમતા નથી.
જયારે આપણે કોઈનો ઈરાદો ન સમજીએ ત્યારે આપણે એની પર ગુસ્સે ભરાઈએ છે.
જયારે બીજા આપે એના કરતા આપણને વધારે જોઈતું હોય ત્યારે આપણે નિરાશ થઈએ છે.
આપણા બધામાં અભિમાન હોય છે અને જયારે કોઈ આપણું અપમાન કરે ત્યારે આપણે વ્યાકુળ બની જઈએ છે.
ઈર્ષા નફરત જન્માવે છે અને આપણે આપણી વિચારવાની ક્ષમતા ખોઈ બેસીએ છે.
"જયારે આપણે માફ કરીએ ત્યારે આપણે આપણી આત્માના પ્રકાશ સાથે એક થઇ જઈએ છે. માફી વગર આપણે એવા ફાનસ જેવા છે જેની અંદરનો પ્રકાશ ફાનસની બહાર રહીને પ્રકાશ આપી શકતો નથી. જયારે આપણે નફરત, વેરઝેર અને દુશ્મનાવટને ભૂલીને માફી આપી શકીએ ત્યારે આપણો તેજસ્વી આત્મા આનંદના પ્રકાશ સાથે ઝળહળે છે." - ગુરુદેવ શ્રી ચિત્રભાનુ
પર્યુષણના આઠ દિવસ કે દસ લક્ષણના દસ દિવસ દરમ્યાન ધ્યાન કરીને આત્મશુદ્ધિ કરવાથી આપણે આપણી જાતને ઓળખીએ છે. આપણે પર્યુષણના પર્વને આત્માનો પર્વ કહીએ છીએ જયારે આપણે માફી આપીએ ત્યારે આપણે આપણા આત્માના પ્રકાશ સાથે એકરસ થઈએ છીએ.
છેલ્લા દિવસે તપસ્વીઓનું બહુમાન કરવામાં આવે છે જેથી બીજાઓને પ્રેરણા મળે. કલ્પસૂત્ર, તત્વાર્થ સૂત્ર કે બીજા મહાન ગ્રંથો વાંચવા, દરેક જીવોના કલ્યાણ માટે સકારાત્મક પગલાં લેવા, દરેક માણસો પ્રત્યે ભાઈચારાની ભાવના રાખવી અને બધાને માફી આપવી કે માંગવી, તપ કરવું, નજીકના દેરાસરો, પુસ્તકાલયો કે ઉપશ્રયોની મુલાકાત લેવી વગેરે આ સમય દરમ્યાન કરવામાં આવતી મહત્વની ક્રિયાઓ છે.
સંવત્સરીનું પ્રતિક્રમણ કે દસ લક્ષણ મહોત્સવ કર્યા બાદ જૈનો દરેકની વ્યક્તિગત રીતે, ફોનથી કે ઇમેઇલ દ્વારા માફી માંગે છે.
મિચ્છામિ દુક્કડમ
Page 70 of 307