________________
Compodium of Jainism - Part (II)
એનો મતલબ કે એણે ભૌતિક રીતે તો વસ્તુ છોડી પણ એ વસ્તુ વિશેની ઈચ્છા કે મોહ છોડ્યો નથી.
D.5.2.1.10 બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય એટલે ગુરુની પાસે રહેવું, સદાચાર પાળવો, ઇન્દ્રિયોનો સંયમ રાખવો, વ્રતનું પાલન કરવું, શાસ્ત્રો ભણવા અને કષાયોનું દમન કરવું. આપણે આ ગુણને ત્રણ રીતે સમજવો જોઈએ:
સામાજિક રીતે: સામાન્ય પરિભાષા મુજબ, જાતીય ઈચ્છાઓને નિયંત્રણમાં રાખવી અને બધાને ખબર છે એ આચાર પાળવા. એક શ્રાવક માટે મર્યાદિત બ્રહ્મચર્ય એટલે કે સ્વ-દારા સંતોષ (પોતાના સાથીથી સંતોષ) શીખવવામાં આવે છે.
નિરપેક્ષ રીતે: એનો મતલબ છે કે આત્માના સાચા સ્વભાવમાં રહેવું. એક વાર સમ્યગ દર્શન પ્રાપ્ત થયા પછી કોઈ શુદ્ધ આત્માના સ્વભાવને અનુભવી શકે છે. તેની પાસે હજી પાંચ ઇન્દ્રિયો અને મન છે પણ તેણે પોતાની જાતને આ પાંચ ઇન્દ્રિયની વસ્તુઓથી મુક્ત કરી દીધી છે.
પ્રાયોગિક રીતે: પાંચ ઇન્દ્રિયોના કાબૂને બ્રહ્મચર્ય કહે છે. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે રમણ કરવું – આમ સ્વ-આત્મામાં રમણ કરવું કે રત થવું તે બ્રહ્મચર્ય કહેવાય.
D.5.3 ક્ષમાપના દિવસ
પર્યુષણનો છેલ્લો દિવસ અને દસ લક્ષણનો પ્રથમ દિવસ ક્ષમાપનના દિવસો છે અને બધા જ જૈનો માટે સૌથી મહત્વના છે.
સામાન્ય રીતે આપણે આપણા દોષો જોતા નથી અને બીજાના દોષો મોટા કરીને બતાવીએ છે. આપણે આપણી ભૂલને જાણતા હોઈએ છીએ પણ આપણું અન્નિમાન આપણને તે સ્વીકારવા દેતું નથી. પર્યુષણ આપણને 'મિચ્છામિ દુક્કડમ' બોલવા દ્વારા નમ્રતા શીખવે છે અને આપણી ભૂલો માટે માફી માંગતા શીખવે છે. સાથે સાથે આપણે બીજાને પણ માફ કરવાના હોય છે જેમણે આપણને કોઈ પણ રીતે દુઃખ પહોચાડ્યું હોય.
આપણે બીજાને માફી આપવાની જરૂર કેમ છે? કૈટલા માટે નહિ કે લોકોને આપણી માફીની જરૂર છે, પરંતુ એટલા માટે કે એમને માફી આપવાથી આપણે ક્રોધ, વેરઝેર કે દુશ્મનાવટથી દૂર રહીએ છે અને જો ન આપીએ તો એ આપણી અંદર જ રહે છે. ક્ષમાપના માનવીય સંબંધો અને મૈત્રીને સુગમ અને સરળ બનાવે છે. ઘણી પરિસ્થિતિઓ બીજા પ્રત્યે ખરાબ ભાવના જન્માવે છે જેમ કે:
Page 69 of 307