SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) કોઈ એમ કહે છે કે ઇન્દ્રિયો થકી જ સુખની અનુભૂતિ શક્ય છે પરંતુ ઇન્દ્રિયોના સંયમ જ સાચા સુખની ચાવીરૂપ છે. આપણે બધા જાણીયે છે ઈચ્છાઓ તો અનંત છે. વાસ્તવમાં આત્માનો મૂળ સ્વભાવ તો હંમેશા આનંદિત રહેવાનો જ છે. તે બાહ્ય વસ્તુઓ જેવી કે ઇન્દ્રિયોથી પર છે. સાચી ખુશી અંદરથી મળે છે. જે ખુશી બહારથી મળે છે તે ક્ષણિક છે અને ભ્રમિક છે. આત્મ-સંયમ સમ્યગ દર્શન મળ્યા પછી કષાયો ઓછા કરવા માટેનો માર્ગ છે. D.5.2.1.7 તપ(તપસ્યા) તપની પૂર્વ શરત છે કે આપણા રાગ અને દ્વેષ નિયંત્રણમાં હોવા જોઈએ. જયારે કોઈ પોતાના રાગ અને દ્વેષ છોડીને શુદ્ધ અવસ્થામાં સ્થિર થાય ત્યારે તેને તપ કહેવાય છે. ઈચ્છાઓ પર નિયંત્રણ પણ તપ છે. કર્મની નિર્જરા કરવા માટે ૬ બાહ્ય તપ અને ૬ અભ્યન્તર તપ જણાવ્યા છે. D.5.2.1.8 ત્યાગ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે સંગ્રહવૃત્તિ કે માલિકીભાવને છોડી દેવો એટલે ત્યાગ. શાસ્ત્રોમાં ચાર પ્રકારના દાન બતાવ્યા છે અન્ન, જ્ઞાન, દવા અને કોઈનું જીવન બચાવવું નઅભયદાના દાન રાગ અને દ્વેષના ત્યાગાવીતરાગ) ની તાલીમ સ્વરૂપે છે. - જયારે કોઈને આત્મ-અનુભૂતિ થાય છે ત્યારે તેને આંતરિક કે બાહ્ય કોઈ પણ પ્રકારની વસ્તુના માટે માલિકીભાવ કે રાગ રહેતો નથી. આને ત્યાગ કહે છે. તેને બાહ્ય વસ્તુઓ જેવી કે મકાન, પત્ની, સંતાનો કે સંપત્તિ પ્રત્યે લગાવ કે મોહ હોતો નથી. તેને કોઈ આંતરિક રાગ કે દ્વેષ માટે પણ માલિકીભાવ હોતો નથી. તેની આત્મા શુદ્ધ હોય છે અને કોઈ પણ પ્રકારના માલિકીભાવથી દૂર હોય છે. D.5.2.1.9 અક્રિયા(અપરિગ્રહ) આ ગુણ આપણી પાસે રહેલી વસ્તુઓ માટે અપરિગ્રહનો ભાવ સૂચવે છે. સંબંધો કે બીજી કોઈ પણ વસ્તુમાં માલિકીભાવને છોડવો એટલે અકિંચન્ય. તે આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકાર માટે લાગુ પડે છે. બાહ્ય એટલે મકાન, પત્ની વગેરે અને આંતરિક એટલે રાગ, દ્વેષ કે ઈચ્છાઓ. આંતરિક વસ્તુઓના મોહથી મુક્ત રહેવું ખરેખરો સદ્દગુણ છે. જેણે આંતરિક વસ્તુઓ પ્રત્યેનો રાગ છોડ્યો છે એણે બાહ્ય વસ્તુઓ માટે તો છોડી જ દીધો છે. કદાચ કોઈએ બાહ્ય રીતે વસ્તુઓ છોડી દીધી હોય પણ આંતરિક રીતે શક્ય છે કે હજી પકડી રાખી હોય. જેમ કે કોઈ એ ઘણું બધું દાન કર્યું હોય પણ એ બધાને કહેતો ફરે કે મેં કેટલું દાન કર્યું છે. Page 68 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy