________________
Compodium of Jainism - Part (II)
કરાવે છે. સરળતાનો ગુણ કેળવવા માટે માયાથી દૂર રહેવું જોઈએ.
D.5.2.1.4 શૌચ સંતોષ)
લોભનો અભાવ હોવો એ સંતોષ. લોભ એટલે કઈ પણ મેળવવાની ઈચ્છા અને એ જ દરેક પાપનું મૂળ કારણ છે. લોભ સૌથી ખરાબ દુર્ગુણ છે અને શુદ્ધતા તરફના આધ્યાત્મિક વિકાસના પથ પર સૌથી છેલ્લે જીતાય છે. લોભના નિકાલ સાથે આત્મા વ્યવહારિક રીતે કષાય મુક્ત થઇ જાય છે. સંતોષ દરેક ગુણોમાં સૌથી ઊંચો અને શુદ્ધ છે.
D.5.2.1.5 સત્ય (સત્યતા)
સત્ય એટલે જે હિતકારી હોય તે બોલવું અને કઠોર શબ્દોથી, ચાડી-ચુગલી કે અપશબ્દો બોલવા વગેરેથી દૂર રહેવું. કોઈનું જીવન બચાવવા માટે સત્ય છુપાવવું માફીપાત્ર છે. સત્ય બોલવા માટે સત્ય જાણવું જરૂરી છે. સત્યતાનો સ્થૂળ નિયમ, સત્યતાનો સૂક્ષ્મ નિયમ, વચનમાં અને બોલવાના શબ્દોમાં સંયમ વિશે શાસ્ત્રોમાં બતાવેલ ચાર સ્તર છે. આ ચારેય વસ્તુને વચન સાથે સબંધ છે.
અણુવ્રત મહાવ્રત
ભાષા સમિતિ
વચન ગુપ્તી
કોષ્ટક D.5-C
D.5.2.1.6 સંયમ
સત્ય વિશેનું અણુવ્રત એટલે કે જૂઠું ન બોલવું
સત્ય વિશેનું મહાવ્રત એટલે કે સત્ય બોલવું અને બિલકુલ જૂઠું ન બોલવું ભાષાનો સંયમ એટલે કે જયારે અનિવાર્ય હોય ત્યારે જ બોલવું, મિતભાષી હોવું, કઠોર શબ્દો ન બોલવા અને સત્યને અતિશયોક્તિથી ન બોલવું. બોલેલા શબ્દોનો સંયમ એટલે કે સંપૂર્ણ મૌન રહેવું
સંયમ એટલે મન, વચન અને કાયાને શિસ્તમાં રાખવા જેથી કોઈ જીવને તકલીફ ન પહોંચે અને જયણા રાખવી. સંયમ બે પ્રકારનો છે: જીવોની હિંસાથી દૂર રહેવું અને ઇન્દ્રિયોના સુખમાં મગ્ન ન થવું.
આત્મસંયમમાં બહારની વસ્તુઓમાં ધ્યાન ઉપયોગ) સખવાનું નથી અને પોતાની અંદર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ આત્મ-સંયમની નિરપેક્ષ વ્યાખ્યા છે. સંયમનો બીજો અર્થ છે પાંચ મહાવ્રતો લેવા, કષાયોને નિયંત્રણમાં લાવવા, મન, વચન અને કાયાની ક્રિયાઓને નિયંત્રણમાં રાખવી અને ઇંદ્રિયોની ઈચ્છાને જીતી લેવી.
સંપૂર્ણ સંયમ માત્ર મનુષ્ય ભવમાં જ શક્ય છે. દેવ કે નારકીના આયુષ્યમાં તે શક્ય નથી. પંચેન્દ્રિય તિર્યંચમાં સંયમ આંશિક રીતે શક્ય છે.
Page 67 of 307